દિલીપ રાણપુરા

ગુજરાતી લેખક

દિલીપ નાગજીભાઈ રાણપુરા (૧૪ નવેમ્બર ૧૯૩૨ - ૧૬ જુલાઈ ૨૦૦૩[૧]) ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર હતા.

દિલીપ રાણપુરા
જન્મ૧૪ નવેમ્બર ૧૯૩૨ Edit this on Wikidata
ધંધુકા Edit this on Wikidata
મૃત્યુ૧૬ જુલાઇ ૨૦૦૩ Edit this on Wikidata

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૧૪ નવેમ્બર ૧૯૩૨ના દિવસે ધંધુકામાં થયો હતો. ૧૯૫૦માં તેમણે વર્નાક્યુલર ફાઈનલ કર્યા પછી ૧૯૫૯માં જુનિયર પી.ટી.સી.નો અભ્યાસ પૂર્ણ કર્યો અને શરૂમાં સર્વોદય યોજનામાં જોડાયા પછી શિક્ષણ વ્યવસાયમાં આવ્યા. જુદી જુદી જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે રહ્યા પછી તેઓ બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય રહ્યા હતા.

સર્જન ફેરફાર કરો

નવલકથાઓ ફેરફાર કરો

સૂકી ધરતી સૂકા હોઠ (૧૯૬૭), હું આવું છું (૧૯૬૯), હળાહળ અમી (૧૯૬૯), આતમ વીંઝે પાંખ (૧૯૭૦), ભીંસ (૧૯૭૦), મધુડંખ (૧૯૭૨), હરિયાળાં વેરાન (૧૯૭૨), કોઈ વરદાન આપો (૧૯૭૬), કારવાં ગુજર ગયા (૧૯૭૬), નિયતિ (૧૯૭૬), કાન તમે સાંભળો તો (૧૯૭૭), અમે તરસ્યાં પૂનમનાં (૧૯૭૮), રે અમે કોમળ કોમળ (૧૯૭૯), મને પૂછશો નહીં (૧૯૮૦), વાસંતી ડૂસકાં (૧૯૮૧), કૂંપળ ફૂટ્યાની વાત (૧૯૮૩), આંસુભીનો ઉજાસ (૧૯૮૪), મીરાંની રહી મહેક (૧૯૮૫), પીઠે પાંગર્યો પીપળો (૧૯૮૭), અંતરિયાળ (૧૯૮૯) વગેરે એમની નવલકથાઓ છે.

વાર્તાસંગ્રહો ફેરફાર કરો

  • મારી શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૭૫)
  • પણ માંડેલી વારતાનું શું ? (૧૯૮૬)

સંસ્મરણકથા ફેરફાર કરો

  • દીવા તળે ઓછાયા (૧૯૭૭)
  • ભીતર ભીતર
  • આ ભવની ઓળખ

ચરિત્રનિબંધસંગ્રહો ફેરફાર કરો

  • વાત એક માણસની (૧૯૮૫)
  • છવિ (૧૯૮૮)

સંદર્ભ ફેરફાર કરો

  1. "દિલીપ રાણપુરા : માસ્તર નહીં, અન્યાય, અત્યાચાર અને અનાચાર સામે ઝૂઝનાર શિક્ષક". BBC News ગુજરાતી. મેળવેલ 2020-10-11.

બાહ્ય કડીઓ ફેરફાર કરો