બજાણા (તા. દસાડા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

બજાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા દસાડા તાલુકામાં આવેલું એક ગામ છે. બજાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

બજાણા
—  ગામ  —
બજાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°36′N 71°29′E / 23.6°N 71.49°E / 23.6; 71.49
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો દસાડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ભૂગોળ ફેરફાર કરો

બજાણા ગામ કચ્છના નાના રણના દક્ષિણ છેડા પર અગ્નિ ખૂણા પર આવેલું છે. તે ૨૩° ૬' ઉત્તર અને ૭૧° ૪૯' અક્ષાંશ-રેખાંશ પર આવેલું છે.[૧]

ગામમાં બે મોટા તળાવો આવેલા છે.[૧]

ઇતિહાસ ફેરફાર કરો

બ્રિટિશ શાસન સમયે આ ગામ જત લોકોના હેઠળ હતું. બજાણાના જત મૂળભૂત રીતે સિંધના વાંગા બજારમાંથી આવ્યા હતા જ્યાંથી તેઓને સિંધના શાસકે તેમને તેમના ઘરની બે સ્ત્રીઓના લગ્ન રાજશાસકોમાં ન કરાવતા હાંકી કાઢ્યા હતા. લોકવાયકા મુજબ તે સ્ત્રીઓ સાથે જત અહીં ભાગી આવ્યા હતા અને સિંધના રાજવીઓએ તેમનો પીછો કર્યો હતો. કચ્છ રાજ્યના તે સમયના શાસક રાવ રાયઘણે તેમને આશરો આપવાની ના પાડી હતી અને તેમને ગુજરાત જવાની ફરજ પાડી હતી. પરંતુ તેમનો સામનો મુનઘરબિયા ગામ પાસે સિંધની સેના સાથે થયો હતો. જત લોકોએ સમર્પણ કરવાની જગ્યાએ સ્ત્રીઓની સાથે સામૂહિક આત્મહત્યા કરી હતી અને તેમનાં સ્મારકો કચ્છમાં લખુઢ નજીક જોવા મળે છે.[૧]

ત્યારબાદ તેઓ કચ્છનું રણ ઓળંગીને મોરબી રાજ્યમાં આવ્યા પરંતુ હજુ પણ સિંધની સેના તેમનો પીછો કરતી હતી. તેઓ થાનગઢ નજીક માંડવ ટેકરીઓ જોડે પહોંચવામાં સફળ થયા અને મુળીના પરમારો પાસે ગયા. પરમારોએ તેમની સહાયતા માટે સંમત થયા અને તેઓ સિંધની સેનાના આક્રમણની રાહ જોતાં ટેકરીઓમાં થોડો સમય રહ્યા. પરંતુ પરમારો મદદે આવ્યા નહી અને તેમના રાજવી લઘધીરસિંહજીએ એક જત સ્ત્રી સુમરીબાઇને નાસી જવામાં મદદ કરી અને તેના ભાઇ હાલોજીને સિંધીઓને સોંપ્યો. સિંધીઓએ સુમરીબાઇનો વાણોદ સુધી પીછો કર્યો જ્યાં તેણીએ આત્મહત્યા કરી, તેણીની કબર હજુ ત્યાં આવેલી છે.[૧]

ગુજરાત સલ્તનતના મહમદ બેગડાએ સિંધીઓના આક્રમણને ખાળવા માટે સેના મોકલી. આ સેનાએ સિંધીઓને હાંકી કાઢ્યા અને હાલોજીને મુક્ત કરાવ્યો અને તેને અમદાવાદ લઇ ગયા જ્યાં તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. હાલોજીથી ખુશ થયેલા સુલ્તાને તેને રાણપુર નજીકની ખરાબાની જમીન ભેટ આપી. હાલોજી સુલ્તાનની આ દયા હાલોજીના અને લઘધરીજીના નાના ભાઇને એટલી સ્પર્શી ગઇ કે તેઓ સુલ્તાનની સાથે અમદાવાદમાં જોડાયા અને ઇસ્લામ ધર્મ સ્વિકાર કર્યો, જ્યાં સુલ્તાને તેમને બોટાદ અને ચોવીસ ગામોના સૂબા બનાવ્યા. તેમની એક શાખા ધોળકામાં ૧૭૮૦માં સ્થાયી થઇ અને કિલ્લાનો સૂબા બન્યા. મલિક હિમત નામના સૂબા અને તેના વંશજો ધોળકાના કસબાતી તરીકે જાણીતા છે. જત લોકો અમદાવાદ આવ્યા અને સુલ્તાનની કુર્નિશ બજાવી, અને તેઓ સુલ્તાને તેમને ચાંપાનેર પરના આક્રમણમાં સમાવેશ કર્યા. ત્યાં તેમણે બતાવેલી બહાદુરીને કારણ સુલ્તાને તેમને બજાણા સહિત ચોવીસ ગામોની ભેટ ધરી. આના પછી તુરંત, સુલ્તાનની પરવાનગીથી તેઓએ ઝાલાઓના હાથમાંથી માંડલ મેળવ્યું. આ ગામ સુલ્તાને મેળવ્યું પરંતુ પડોશના કેટલાક ગામો જતોએ જાળવી રાખ્યા. મલિક ઇશાજીએ પોતાને વાલિવડા ખાતે સ્થાપિત કર્યો અને મલિક લાખા સિતાપુર અને વાણોદ ખાતે રહ્યો. મલિક હૈદર ખાન બજાણામાં સ્થાયી થયો. મલિક ઇસાજીએ ત્યારબાદ રાવમાસના હાથમાંથી વારાહી જીત્યું અને ત્યાં સ્થાયી થયો. વારાહી અને તેની આજુ-બાજુના ગામો મોટી જતવાડ કહેવાય છે અને બજાણા અને તેની આજુ-બાજુના ગામો નાની જતવાડ કહેવામાં આવે છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૩-૩૭૪.

  આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૩-૩૭૪.