પાતાળપાણી ધોધ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ઈન્દોર જિલ્લામાં પાતાળપાણી ગામ ખાતે આવેલ છે. આ ધોધ આશરે ૩૦૦ ફુટ જેટલી ઊંચાઈ ધરાવે છે. આ સ્થળ આસપાસના વિસ્તાર માટે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તેમ જ ટ્રેકિંગ સ્પોટ છે.

પાતાળપાણી ધોધ
ઈન્દોર થી ૩૫ કિલોમીટર મહુ તરફ જતાં આવેલ પાતાળપાણી ધોધ

આ પાણીનો પ્રવાહ વરસાદની મોસમ (સામાન્ય રીતે જુલાઈ પછી) દરમિયાન સૌથી વધુ રહે છે. પછી આ પ્રવાહ ઘટી જાય છે, લગભગ ઉનાળાની મોસમમાં આ પ્રવાહ માત્ર ટપકતો હોય છે.

વ્યુત્પત્તિશાસ્ત્ર ફેરફાર કરો

સ્થાનિક લોકસાહિત્ય અનુસાર, આ ધોધનો ખાડો (કુંડ) તળિયામાં ઘણો ઊંડો હોવાથી પાતાળ તરીકે (ભારતીય પૌરાણિક) ઓળખાય છે. તેથી આ ધોધને પાતાળપાણી કહેવામાં આવે છે.

સ્થાન ફેરફાર કરો

પાતાળપાણી રેલ્વે સ્ટેશન સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે (૨ કિ. મી.) જે ઇન્દોર-ખંડવા રેલમાર્ગ પર આવેલ છે. મહુ નજીકનું શહેર છે.

૨૦૧૧ અકસ્માત-મૃત્યુ ફેરફાર કરો

ચોમાસા (જુલાઈ-સપ્ટેમ્બર) દરમિયાન આ વિસ્તારમાં એકદમ રેલ (ફ્લેશ ફ્લડ) આવે છે. ૧૭ જુલાઈ ૨૦૧૧ના રોજ ઉપરવાસમાં ભારે વરસાદ આવ્યો હતો. આ વેળા અહીં ૫૦ મુલાકાતીઓ હતા, તેમાંથી ઘણા પિકનિક મનાવતા ધોધ નજીક બેઠા હતા. તે સમયે સ્થાનિક ગ્રામજનોએ ચેતવણી આપી તેમને આ જોખમી છે અને તેમને પાણીથી દૂર ખસેડવા કહ્યું હતું. ઘણા મુલાકાતીઓ સલામતી માટે દૂર ખસી ગયા, પરંતુ પાંચ લોકો ત્યાં જ રહ્યા હતા. ત્યારે આ પાણીનો પ્રવાહ વધવાની શરૂઆત થઈ ગઈ હતી. આથી તેઓ ત્યાંથી ખસવા માટે પ્રવાહ પાર કરવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ તેઓ પાણીના પ્રવાહમાં ઘસડાઈ ગયા હતા.[૧] એમાંથી માત્ર બે જ જણ બચી ગયા હતા. એક સપ્તાહ પછી તેમનાં મૃત શરીર મળી આવ્યા હતાં. જેમનાં નામ છે : ચાવી ધૂત (૧૮ જુલાઇ), તેના પિતા ચંદ્રશેખર (૧૯ જુલાઈ) અને મુદિતા રાઠી (૨૦ જુલાઈ).[૨] આ ઘટનાનો એક વિડિઓ પણ વાયરલ થયો છે. ત્યારબાદ, સ્થાનિક વહીવટ દ્વારા દુર્ઘટના ટાળવા પુલ અને પગથિયાંવાળો રસ્તો બાંધવામાં આવેલ છે.[૩]

સંદર્ભો ફેરફાર કરો