બારડોલી લોક સભા મતવિસ્તાર

ગુજરાતનો લોક સભા મતવિસ્તાર

બારડોલી લોક સભા મતવિસ્તાર એ ગુજરાત રાજ્યના ૨૬ લોક સભા મતવિસ્તાર પૈકીનો એક છે. આ સંસદીય મતવિસ્તાર વર્ષ ૨૦૦૮ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવ્યો છે. આ બેઠક અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષિત છે.[૧] આ બેઠક પર સૌપ્રથમ ૨૦૦૯માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ પક્ષના તુષાર અમરસિંહ ચૌધરી બારડોલી લોક સભા મતવિસ્તારના સૌ પ્રથમ સાંસદ હતા. ૨૦૧૯ના છેલ્લી સામાન્ય ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પરભુભાઈ વસાવા આ બેઠકનું પ્રતિનિધિત્ત્વ કરી રહ્યા છે.

વિધાનસભા ક્ષેત્ર ફેરફાર કરો

વર્ષ ૨૦૧૯ પ્રમાણે, બારડોલી લોકસભા મતવિસ્તારમાં કુલ સાત વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. જે નીચે મુજબ છે.[૧]

બેઠક ક્રમાંક નામ આરક્ષિત? જિલ્લો
૧૫૬ માંગરોળ ST સુરત
૧૫૭ માંડવી
૧૫૮ કામરેજ ના
૧૬૯ બારડોલી SC
૧૭૦ મહુઆ ST
૧૭૧ વ્યારા તાપી
૧૭૨ નિઝર

સંસદ સભ્યો ફેરફાર કરો

ચૂંટણી સંસદ સભ્ય પક્ષ
૨૦૦૯ તુષાર ચૌધરી કોંગ્રેસ
૨૦૧૪ પરભુભાઈ વસાવા ભાજપ
૨૦૧૯

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. પૃષ્ઠ 148.