બાર્ટન પુસ્તકાલય

ભાવનગર શહેરમાં આવેલું એક પુસ્તકાલાય

બાર્ટન પુસ્તકાલય ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા ભાવનગર શહેરમાં આવેલું પુસ્તકાલય છે.

બાર્ટન પુસ્તકાલય
નકશો
સામાન્ય માહિતી
સ્થાનભાવનગર, ગુજરાત, ભારત
પૂર્ણ૩૦ ડિસેમ્બર ૧૮૮૨

તેની સ્થાપના ૩૦ ડિસેમ્બર ૧૮૮૨ના દિવસે કરવામાં આવી હતી.[૧] ઇ.સ. ૧૮૯૫ના વર્ષમાં આ પુસ્તકાલયનું નવું ભવ્ય મકાન બાંધવામાં આવ્યું હતું અને લાઇબ્રેરી ત્યાં ખસેડવામાં આવી.[૧] મહાત્મા ગાંધી જ્યારે ભાવનગરમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે આ પુસ્તકાલયનો ઉપયોગ કર્યો હતો.[૧]

ઇ.સ. ૧૯૩૬ના વર્ષમાં આ પુસ્તકાલયમાં ૧૫,૯૮૦ પુસ્તકો હતા, જે ૨૦૦૪ સુધીમાં વધીને ૬૧,૭૬૩ પુસ્તકો સુધી પહોચ્યા હતા. ૨૦૦૯ના વર્ષ દરમ્યાન પુસ્તકોનો આંકડો ૬૮,૦૦૦ને પાર કરી ચુક્યો હતો. ૨૦૧૨ના વરસના અંતે આ આંકડો ૭૨,૦૦૦ અને ૨૦૧૫માં ૭૫,૦૦૦ કરતા વધારે પુસ્તકો આ પુસ્તકાલયમાં હતા.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "સૌરાષ્ટ્રની પ્રથમ પંક્તિની બાર્ટન લાઇબ્રેરી" (PDF). દિવ્ય ભાસ્કર. દિવ્યભાષ્કર. 30 December 2015. મૂળ (PDF) માંથી 30 December 2015 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૧૯.

બાહ્ય કડીઓ ફેરફાર કરો