માછીમારી એ એક વ્યવસાય છે. કોઇપણ વ્યક્તિ કોઇ જળાશય જેમ કે તળાવ, સરોવર, નદી અથવા સાગરમાંથી માછલી પકડી, એને બજારમાં વેચીને થતી આવકમાંથી પોતાનો જીવનનિર્વાહ કરે તેને માછીમારીનો વ્યવસાય કહેવામાં આવે છે.

ગુજરાત રાજ્યનો સાગરકિનારો ભારત દેશનાં અન્ય રાજ્યો કરતાં ઘણો જ લાંબો હોવાને કારણે માછીમારીનો વ્યવસાય પૂરજોશમાં ચાલે છે અને ઘણા લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.