માર્કંડ જશભાઇ ભટ્ટ (૨ ઑક્ટોબર ૧૯૨૯ – ૫ ફેબ્રુઆરી ૨૦૧૬) ગુજરાતી રંગભૂમિના કલાકાર અને દિગ્દર્શક હતા. તેમણે વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ૩૦ વર્ષો સુધી નાટ્ય શિક્ષણ આપ્યું હતું. તેમણે અનેક ગુજરાતી નાટકોનું દિગ્દર્શન કર્યું હતું અને ભાગ ભજવ્યો હતો.

માર્કંડ ભટ્ટ
જન્મની વિગત
માર્કંડ જશભાઇ ભટ્ટ

૨ ઑક્ટોબર ૧૯૨૯
મૃત્યુ૫ ફેબ્રુઆરી ૨૦૧૬ (ઉંમર ૮૭)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયનાટ્ય અભિનેતા અને દિગ્દર્શક
પ્રખ્યાત કાર્યગુજરાતી નાટક

જીવન ફેરફાર કરો

માર્કંડ ભટ્ટનો જન્મ ૨ ઑક્ટોબર ૧૯૨૯ના રોજ વડોદરામાં થયો હતો.[૧][૨] દસ વર્ષની વયે તેમણે સ્થાનિક નાટ્ય મંડળીમાં અભિનય કરવાની શરૂઆત કરી હતી.૧૯૫૮માં તેમણે વડોદરાના જ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી નાટ્ય વિદ્યામાં અનુસ્નાતકની પદવી મેળવી.[૩][૪]

બે વર્ષ સુધી તેમણે સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી, રાજકોટના નાટ્ય વિભાગના અધ્યક્ષ સુધી કાર્ય કર્યું. તેમણે ૧૯૬૯ થી ૧૯૮૯ સુધી નાટ્ય કળા વિભાગના અધ્યક્ષ અને ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ ૧૯૯૨ થી ૧૯૯૫ દરમિયાન ગુજરાત સંગીત નાટક અકાદમીના ચેરમેન રહ્યા હતા.[૫][૬][૪][૭]

તેમણે ૧૫૦૦થી વધુ ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો હતો. તેમને ૧૯૬૦ના દાયકામાં આધુનિક ગુજરાતી નાટ્યમંચને બેઠું કરવાના પ્રણેતા તરીકે જોવામાં આવે છે.[૩] તેમણે અભિનય કરેલા નાટકોમાં ચંદ્રવદન મહેતાના અતૃપ્ત સરસ્વતી અને પરમ મહેશ્વર; રવિન્દ્રનાથ ટાગોરના નંદિની, મુકટધારા અને અરુપ રતન; ભાસના કર્ણભાર, શંકર શેશના રક્તબીજ, રઘુવીર ચૌધરીના સિકંદર સાની અને ગિરિશ કર્નાડના અગ્નિ અને વરસાદનો સમાવેશ થાય છે.[૫][૭] બીજા કેટલાક નાટકોમાં વસુંધરાના વ્હાલાં દવલા, ગગને મેઘ છવાયો, વેનિસનો વેપારી, જનની જન્મભૂમિ, નવા ક્લેવર ધરો હંસલા, સુમનલાલ ટી દવે વગેરે હતા.[૩] તેમણે રેતીના રતન સહિત બે ગુજરાતી ચલચિત્રોમાં પણ અભિનય કરેલો.[૮]

તેમણે અનેક નાટકોનું દિગ્દર્શન કર્યું હતું જેમાં ધરા ગુર્જરી, પરિત્રાણ, શેતલને કાંઠે, ફિંગર પ્રિન્ટ અને હોહોલિકાનો સમાવેશ થાય છે.[૫][૩][૬] તેમણે ઇ.સ. ૨૦૦૦ સુધી નાટકોમાં અભિનેતા અને દિગ્દર્શક તરીકે કાર્ય ચાલુ રાખ્યુ હતું. તેઓ નાટકોના ક્ષેત્રમાં કાર્ય કરતી સંસ્થા ત્રિવેણી સાથે સંકળાયેલા હતા.[૪][૭]

તેમનું અવસાન ૮૭ વર્ષની વયે ૫ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ વડોદરા ખાતે થયું હતું.[૬][૪]

સન્માન ફેરફાર કરો

૧૯૭૩માં તેમણે ગુજરાતી સંગીત નાટક અકાદમી પુરસ્કાર મેળવ્યો. તેમણે સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ ૨૦૦૮માં મેળવ્યો.[૭] ૧૯૮૪માં લંડન સ્થિત ભારતીય વિદ્યા ભવન દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.[૬][૪]

અંગત જીવન ફેરફાર કરો

તેમણે ઊર્મિલા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા જેઓ હિંદી ચલચિત્ર અને ગુજરાતી નાટ્ય અભિનેત્રી હતા. તેઓ તેમના વિદ્યાર્થી કાળ દરમિયાન એકબીજાને મળ્યા હતા.[૩] તેણીનું ૨૨ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ અવસાન થયું હતું.[૭] તેમને બે પુત્રો અને એક પુત્રી હતા.[૮]

સંદર્ભ ફેરફાર કરો

  1. ચંપકલાલ, મહેશ. "ભટ્ટ, માર્કંડ જશભાઈ". ગુજરાતી વિશ્વકોશ. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. મેળવેલ ૧૦ ઑક્ટોબર ૨૦૨૧. Check date values in: |access-date= (મદદ)
  2. "Renowned Gujarati stage actor, director Markand Bhatt passes away". NetIndian. ૫ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૬.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "તખ્તાના તાજ, નાટયગુરૃ પ્રો.માર્કંડ ભટ્ટનું ૮૭ વર્ષની ઉંમરે અવસાન". www.gujaratsamachar.com. ૫ ફેબ્રુઆરી ૨૦૧૬. મૂળ માંથી ૭ ફેબ્રુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૬.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ "Sangeet Natak Akademi Awardee Markand Bhatt passes away". The Indian Express. ૫ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૬.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "Markand Jashbhai Bhatt". Welcome to Sangeet Natak Akademi. મૂળ માંથી ૫ જાન્યુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૬.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "Gujarati theatre actor Markand Bhatt passes away at 87". dna. ૬ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૬.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ "Veteran Gujarati theatre artist Markand Bhatt dies". The Times of India. ૬ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૬.
  8. ૮.૦ ૮.૧ "માર્કંડ ભટ્ટના અવસાનથી નાટયકારો અને ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઈ". Sandesh. ૬ ફેબ્રુઆરી ૨૦૧૬. મૂળ માંથી ૯ ફેબ્રુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૬.