રઘુવીર ચૌધરી
ભારતીય લેખક
રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે.
રઘુવીર ચૌધરી | |
---|---|
![]() રઘુવીર ચૌધરી મુંબઈ ખાતે, ૧૯૯૯ | |
જન્મ | બાપુપુરા, ગાંધીનગર જિલ્લો, ગુજરાત | December 5, 1938
ઉપનામ | લોકાયતસૂરિ, વૈશાખનંદન |
વ્યવસાય | અધ્યાપન, વિવેચન, સંપાદન |
શિક્ષણ | એમ.એ., પીએચ.ડી. |
નોંધપાત્ર પુરસ્કારો |
|
સંબંધીઓ | જીતી બેન (માતા), દલસંગ ભાઈ (પિતા) |
સહી | ![]() |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ. કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૬૨માં એમ.એ. અને ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક રહ્યા હતા અને ૧૯૯૮માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા.
સર્જન
ફેરફાર કરોમુખ્ય કૃતિઓ
ફેરફાર કરોનવલકથા
ફેરફાર કરો- પૂર્વરાગ (૧૯૬૪)[note ૧]
- અમૃતા (૧૯૬૫)
- પરસ્પર (૧૯૬૯)
- ઉપરવાસ (૧૯૭૫)
- રૂદ્રમહાલય (૧૯૭૮)
- પ્રેમઅંશ (૧૯૮૨)
- ઇચ્છાવર (૧૯૮૭)
વાર્તા સંગ્રહો
ફેરફાર કરો- આકસ્મિક સ્પર્શ (૧૯૬૬)
- ગેરસમજ (૧૯૬૮)
- બહાર કોઈ છે (૧૯૭૨)
- નંદીઘર (૧૯૭૭)
- અતિથિગૃહ (૧૯૮૮)
કવિતા
ફેરફાર કરો- તમસા (૧૯૬૭, ૧૯૭૨)
- વહેતાં વૃક્ષ પવનમાં
- ઉપરવાસયત્રી
નાટક
ફેરફાર કરો- અશોકવન (૧૯૭૦
- ઝુલતા મિનારા (૧૯૭૦)
- સિકંદરસાની (૧૯૭૯)
- નજીક
એકાંકી
ફેરફાર કરો- ડિમલાઇટ (૧૯૭૩)
- ત્રીજો પુરુષ (૧૯૮૨)
વિવેચન
ફેરફાર કરો- અદ્યતન કવિતા
- વાર્તાવિશેષ
- દર્શકના દેશમાં
- જયંતિ દલાલ
- મુક્તાનંદની અક્ષર આરાધના
રેખાચિત્રો
ફેરફાર કરો- સહરાની ભવ્યતા (૧૯૮૦)
- તિલક
પ્રવાસ વર્ણન
ફેરફાર કરો- બારીમાંથી બ્રિટન
ધર્મચિંતન
ફેરફાર કરો- વચનામૃત અને કથામૃત
સંપાદન
ફેરફાર કરો- સ્વામિનારાયણ સંતસાહિત્ય
- નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય
- શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાઙ્મય
સન્માન
ફેરફાર કરો- કુમાર સુવર્ણ ચંદ્રક
- ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
- સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર
- રણજિતરામ સુવર્ણચંદ્રક
- જ્ઞાનપીઠ પુરસ્કાર (૨૦૧૫)[૨] - અમૃતા માટે.
- નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૯૫) - તિલક કરે રઘુવીર માટે.
નોંધ
ફેરફાર કરો- ↑ ગુજરાતી સાહિત્ય સભા મુજબ "અમૃતા" એ રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા હતી.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-01-23 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-29.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Gujarati Litterateur Raghuveer Chaudhary honoured with 51st Jnanpith Award". mid-day. ૨૯ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૨૯ ડિસેમ્બર ૨૦૧૫.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર રઘુવીર ચૌધરી સંબંધિત માધ્યમો છે.
- ગુજરાતી સાહિત્ય પરિષદ પર રઘુવીર ચૌધરીનો પરિચય
- Raghuvīra Caudharīનું સર્જન ગુગલ બુક્સ પર
- રઘુવીર ચૌધરી ગુજલિટ પર.