યોગેન્દ્ર વ્યાસ

ગુજરાતી લેખક અને ભાષાવિજ્ઞાની

યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ (૬ ઓક્ટોબર ૧૯૪૦ – ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧) ગુજરાતી નવલકથાકાર, ભાષાવિદ હતા.

યોગેન્દ્ર વ્યાસ, ત્રિમંદિર, અડાલજ ખાતે ૨૩ નવેમ્બર ૨૦૧૬.

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો. ૧૯૫૭માં એસ.એસ.સી. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં ગુજરાતી અને ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. થયા બાદ તેઓ ૧૯૬૩થી ૧૯૬૬ સુધી એમ. એમ. શાહ મહિલા કૉલેજ, સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને આચાર્ય રહ્યા. ૧૯૬૬થી ૧૯૬૮ સુધી સરસપુર આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને ૧૯૬૮-૬૯માં ત્યાં જ આચાર્ય રહ્યા. ૧૯૬૯થી ૧૯૮૦ સુધી ભાષાવિજ્ઞાનના વ્યાખ્યાતા અને ૧૯૮૦થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાવિજ્ઞાનના રીડર હતા.

૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ તેમણે પોતાના પત્ની અંજના વ્યાસ સાથે પોતાના ઘરે આત્મહત્યા કરી હતી.[૧][૨]

સર્જન ફેરફાર કરો

બે કિનારાની વચ્ચે (૧૯૮૨) અને કૃષ્ણજન્મ (૧૯૮૩) એમની લઘુનવલો છે. ભીલીની કિશોરકથાઓ (૧૯૭૬) અને મનોરંજક બોધકથાઓ (૧૯૭૯) એમનું બાળસાહિત્ય છે.

ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ (૧૯૬૭), બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ (૧૯૭૪), ભાષા, સમાજ અને સાહિત્ય (૧૯૭૫), ગુજરાતી ભાષાનું વ્યાકરણ (૧૯૭૭), ભાષા વિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ (૧૯૭૯), સામાજિક ભાષાવિજ્ઞાન (૧૯૮૩) વગેરે એમનાં ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Renown Gujarati language expert, retired principal Dr. Yogendra Vyas commits suicide with wife". DeshGujarat. 23 September 2021. મેળવેલ 23 September 2021.
  2. સોની, ઋત્વિજ (23 September 2021). "ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેશર યોગેન્દ્ર વ્યાસે પત્ની સાથે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જણાવ્યું કારણ". News18 Gujarati. મૂળ માંથી 23 સપ્ટેમ્બર 2021 પર સંગ્રહિત. મેળવેલ 23 September 2021.

બાહ્ય કડીઓ ફેરફાર કરો