વરાહ

ભગવાન વિષ્ણુ ના દંશ અવતાર માથી પહેલો અવતાર

વરાહ એ હિંદુ ભગવાન વિષ્ણુનો અવતાર છે કે જે પૃથ્વીને બચાવવા માટે ડુક્કરનો અવતાર લે છે. આ અવતાર વિષ્ણુના દશાવતારમાં ત્રીજો અવતાર ગણાય છે.[૧]

વરાહ
વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર
વરાહ, ૧૭૪૦નું ચિત્ર
જોડાણોવિષ્ણુ
શસ્ત્રસુદર્શન ચક્ર અને કૌમુદિકી ગદા
જીવનસાથીભૂદેવી
પિત્તળના રથ પર વરાહ અવતાર, સીઅર્સોલ રાજબારી, પશ્ચિમ બંગાળ, ભારત

હિંદુ પુરાણો અનુસાર જ્યારે હિરણ્યકશિપુએ પૃથ્વી ઉપર આતંક મચાવ્યો, ત્યારે પૃથ્વી પાણીમાં સરકી ગઈ. તેને બચાવવા માટે વિષ્ણુએ આ અવતાર લીધો, વિષ્ણુએ રાક્ષસને માર્યો અને પૃથ્વીને પોતાના દાંતથી બચાવી અને તેને બ્રહ્માંડમાં સ્થાપિત કરી.[૧][૨][૩]

વરાહને ડુક્કરના માથા અને માનવ શરીર સાથે, ડુક્કર અથવા માનવશાસ્ત્રના સ્વરૂપમાં સંપૂર્ણપણે દર્શાવવામાં આવી શકે છે. વરાહ દ્વારા ઉપાડેલી બચાવતી પૃથ્વી ઘણીવાર ભૂદેવી નામની યુવતી તરીકે દર્શાવવામાં આવી છે. પૃથ્વી તેના કામકાજમાં સંતુલિત જમીનના સમૂહ તરીકે દર્શાવવામાં આવી શકે છે. વૈષ્ણવ અને માધવ બ્રાહ્મણ પરંપરાઓમાં વરાહ મુખ્ય દેવ છે.

ચિત્રણ ફેરફાર કરો

વિષ્ણુના પ્રથમ અવતાર મત્સ્ય અને કાચબાની જેમ જ આ અવતારને પશુના રૂપમાં દર્શાવ્યો છે. પરંતુ આમા મૂળભૂત તફાવત એ છે કે ધડ એ પશુનું છે અને નીચેનો ભાગ મનુષ્યનો છે જ્યારે પ્રથમ બે અવતારોમાં ઉપરનો ભાગ મનુષ્યનો છે અને નીચેનો ભાગ પશુનો છે.[૨]

આ ચિત્રણ એ વિષ્ણુના નરસિંહ અવતારની જેવું છે. નરસિંહ એ વિષ્ણુનો એવો અવતાર છે જેમાં તે સંપૂર્ણપણે પ્રાણી નથી.

વરાહ ને ચાર હાથ હોય છે જેમાંથી બે હાથમાં સુદર્શન ચક્ર અને શંખ હોય છે સાથે જ અન્ય બે હાથમાં કાં તો તલવાર, કૌમુદિકી ગદા અથવા તો કમળ કે પછી વરદ મુદ્રા હોય છે.[૧][૪][૫][૬][૭]

પૌરાણિક કથાઓ ફેરફાર કરો

વિષ્ણુ પુરાણ મુજબ એવું કહેવાય છે કે જ્યારે પૃથ્વી ઉપર હિરણ્યાક્ષે ખૂબ જ આતંક મચાવ્યો ત્યારે પૃથ્વી પાણીમાં સરકી ગઈ હતી તેને ભયભીત જોઈને વિષ્ણુએ ભૂંડ કે જે વરાહ કહેવાય છે તે અવતાર લીધો અને પૃથ્વીને પોતાના ખભા ઉપર એક યુવતી સ્વરૂપે બેસાડીને સમુદ્રમાંથી બહાર કાઢી. અમુક દંત કથાઓ મુજબ ગોળ પૃથ્વીને પોતાના દાંત ઉપરથી સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવી.[૩]

પ્રમુખ મંદિરો ફેરફાર કરો

એક પ્રમુખ મંદિર શ્રી વરાહ સ્વામી મંદિર ના નામ તરીકે આંધ્ર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર તિરુમાલા ની પર્વતમાળા ઉપર છે અને પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરની નજીક છે. દંતકથાઓ મુજબ એવું કહેવાય છે કે સતયુગના અંતે ભક્તો એ વરાહને પૃથ્વી પર રહેવા વિનંતી કરી હતી.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Roshen Dalal (5 October 2011). Hinduism: An Alphabetical Guide. Penguin Books India. પૃષ્ઠ 444–5. ISBN 978-0-14-341421-6. મેળવેલ 1 January 2013.
  2. ૨.૦ ૨.૧ Debala Mitra, ’Varāha Cave at Udayagiri – An Iconographic Study’, Journal of the Asiatic Society 5 (1963): 99–103; J. C. Harle, Gupta Sculpture (Oxford, 1974): figures 8–17.
  3. ૩.૦ ૩.૧ Joanna Gottfried Williams (1982). The Art of Gupta India: Empire and Province. Princeton University Press. પૃષ્ઠ 42–46. ISBN 978-0-691-10126-2.
  4. Alexandra Anna Enrica van der Geer (2008). Animals in Stone: Indian Mammals Sculptured Through Time. BRILL. પૃષ્ઠ 401–6. ISBN 978-90-04-16819-0. મેળવેલ 1 January 2013.
  5. "Relief sculpture of Varaha with Bhu and Gadadevi". British Museum.org. મૂળ માંથી 8 August 2012 પર સંગ્રહિત. મેળવેલ 4 January 2013.
  6. "Varaha with Bhu, gouache on paper". British Museum.org. મૂળ માંથી 6 December 2012 પર સંગ્રહિત. મેળવેલ 4 January 2013.
  7. T. Richard Blurton (1993). Hindu Art. Harvard University Press. પૃષ્ઠ 122–3. ISBN 978-0-674-39189-5.