સુદર્શન ચક્ર ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન વિષ્ણુનું શસ્ત્ર છે. આ શસ્ત્રને ભગવાન વિષ્ણુએ સ્વયં તથા એમના કૃષ્ણ અવતાર વખતે ધારણ કર્યું છે. એક કિંવદંતી છે કે આ ચક્રને વિષ્ણુ ભગવાને ગઢવાલ પ્રદેશમાં આવેલા શ્રીનગર સ્થિત કમલેશ્વર શિવાલય ખાતે તપસ્યા કરીને પ્રાપ્ત કર્યું હતું. ભગવાન વિષ્ણુ અને કૃષ્ણએ આ ચક્ર વડે અનેક રાક્ષસોનો વધ કર્યો હતો, જેમાં શિશુપાલ વધનો પણ સમાવેશ થાય છે.

હાથમાં સુદર્શન ચક્ર સાથે વિષ્ણુ