વાંસળી એ વાંસના પોલા નળાકારમાંથી બનાવવામાં આવતું ભારતીય વાદ્ય છે. વાંસળી કૃષ્ણ અને રાધાની પ્રેમ કથા અને ઇસ પૂર્વે ૧૦૦ની આસપાસના બુદ્ધ ચિત્રોમાં દર્શાવવામાં આવેલ છે. વાંસળી મોટાભાગે કૃષ્ણની રાસલીલા સાથે સાંકળવામાં આવે છે. તેમાં છ અથવા સાત કાણાંઓ હાથને મૂકવા માટે બનાવેલા હોય છે. વાંસળીની લંબાઇ ૧૨ થી શરુ થઇને ૪૦ ઇંચ સુધીની હોય છે.

ઇતિહાસ ફેરફાર કરો

 
વાંસળી વગાડતા હરિપ્રસાદ ચૌરસિયા
 
ત્રિપુરા વાંસળી વગાડતા રઘુનાથ પ્રસન્ના

વાંસળી શબ્દનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી વાંસ વત્તા સુર માંથી ઉદ્ભવ્યો છે.

પન્નાલાલ ઘોષે (૧૯૧૧–૧૯૬૦) વાંસળીનો લોકસંગીતમાંથી શાસ્ત્રીય સંગીતમાં ઉપયોગ શરુ કર્યો.[૧] તેમણે લંબાઇ, કાણાંઓની સંખ્યા સાથે પ્રયોગો કર્યા હતા.

સંદર્ભ ફેરફાર કરો

  1. "the Legacy of Pandit Pannalal Ghosh". David Philipson, CalArts School of Music. મૂળ સંગ્રહિત માંથી 2007-06-30 પર સંગ્રહિત. મેળવેલ ૨૬-જૂન-૨૦૦૭. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ); Check date values in: |access-date= (મદદ)