શિવરાત્રિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું શિવરાત્રિમાં મેળાની દુર્ઘટના? દૂર કરી. બ્લોગ સંદર્ભ દૂર કર્યો. |
|||
લીટી ૧:
'''શિવરાત્રિ''' એટલે ભગવાન [[શંકર]]ને સમર્પિત દિવસ. દર મહિનાની [[વદ]] ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરિકે ઉજવે છે તે દિવસ [[મહા]] [[વદ]] ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે [[દ્વાપરયુગ]]નો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ [[જ્યોતિર્લિંગ]] પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.
▲'''શિવરાત્રિ''' એટલે ભગવાન [[શંકર]]ને સમર્પિત દિવસ. દર મહિનાની [[વદ]] ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરિકે ઉજવે છે તે દિવસ [[મહા]] [[વદ]] ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે [[દ્વાપરયુગ]]નો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ [[જ્યોતિર્લિંગ]] પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.<ref>[http://shivalay.wordpress.com/2009/02/23/shiv-tatva-4/ એક બ્લૉગ]</ref>
==તિથીની સમજૂતિ==
Line ૮ ⟶ ૭:
===સમુદ્રમંથન===
એક કથા અનુસાર [[સમુદ્રમંથન]] સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વિકાર કરવા માટે તૈયાર ના થયા, કેમકે હળાહળ (અતિ ભયાનક વિષ) એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વિ પર પડે તો સમગ્ર પૃથ્વિનો નાશ કરી દે. જ્યારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ન દેવોએ [[વિષ્ણુ]]ને પુછ્યો ત્યારે વિષ્ણુએ કહ્યું કે તેઓ શિવજીનો સંપર્ક કરે અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવમાત્ર તરફની અનુકંપાને કારણે તે હળાહળ પી લીધું. આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે.
===પ્રલય===
અન્ય એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઇ રહ્યો હતો, ત્યારે [[પાર્વતી]]એ તેના પતિ [[શિવ]]ની પૂજા કરી અને તેમને જીવમાત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ [[મહા]] મહિનાની વદ ચૌદસને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે તેમને તે પ્રલય સમયે ઉગારશે. આમ મહા શિવરાત્રિનું મહત્વ અનેરૂ છે.
===શિવની પ્રિય રાત્રિ===
સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત [[પાર્વતી]]એ શિવને પુછ્યં કે તેમનો પ્રિય દિવસ કયો છે, ત્યારે શિવજીએ કહ્યું કે મહા વદ તેરસ, અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમમા સહચરો અને અન્ય દેવતાઓને કરી, અને કાળ ક્રમે મનુષ્યને પણ તેની જાણ થઇ.
===શિવની આરામની રાત્રિ===
ઓછી પ્રચલિત એક કથા મુજબ, શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર (ત્રણ કલાક)ના ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય છે, એટલેકે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે. શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમ્યાન શિવતત્વ કોઇ તમોગુણનો સ્વિકાર કરતા નથી અને નથી તો વિશ્વમાંથી આવતું કોઇ હળાહળ ([[સમુદ્રમંથન]] દરમ્યાન નિકળતું વિષ) સ્વિકારતાં. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાન તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે [[બિલીપત્ર]], [[ધંતુરો|ધંતુરાનાં પુષ્પો]], [[રૂદ્રાક્ષ]], વિગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે.<ref>[http://www.hindujagruti.org/hinduism/festivals/mahashivratri/#science હિંદુ જાગૃતિ]</ref>
==સંદર્ભ==
{{
[[Category:તહેવાર]]
|