બજાણા (તા. દસાડા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અંગ્રેજી વિકિમાંથી માહિતી ઉમેરી.
નાનું માહિતી ગોઠવી.
લીટી ૨૮:
'''બજાણા (તા. દસાડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો| સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ દસાડા| દસાડા તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. બજાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
== સ્થાનભૂગોળ ==
બજાણા ગામ [[કચ્છનું નાનું રણ|કચ્છના નાના રણ]]ના દક્ષિણ છેડા પર દક્ષિણ-પૂર્વ ખૂણા પર આવેલું છે. તે ૨૩° ૬' ઉત્તર અને ૭૧° ૪૯' પૂર્વ સ્થાન પર આવેલું છે.<ref name="bg">{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text)|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૩૭૩-૩૭૪}}</ref>
 
ગામમાં બે મોટા તળાવો આવેલા છે.<ref name="bg"/>
 
== ઇતિહાસ ==
Line ૩૭ ⟶ ૩૯:
 
ગુજરાત સલ્તનતના [[મહમદ બેગડો|મહમદ બેગડા]]એ સિંધીઓના આક્રમણને ખાળવા માટે સેના મોકલી. આ સેનાએ સિંધીઓને હાંકી કાઢ્યા અને હાલોજીને મુક્ત કરાવ્યો અને તેને [[અમદાવાદ]] લઇ ગયા જ્યાં તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. હાલોજીથી ખુશ થયેલા સુલ્તાને તેને રાણપુર નજીકની ખરાબાની જમીન ભેટ આપી. હાલોજી સુલ્તાનની આ દયા હાલોજીના અને લઘધરીજીના નાના ભાઇને એટલી સ્પર્શી ગઇ કે તેઓ સુલ્તાનની સાથે અમદાવાદમાં જોડાયા અને ઇસ્લામ ધર્મ સ્વિકાર કર્યો, જ્યાં સુલ્તાને તેમને [[બોટાદ]] અને ચોવીસ ગામોના સૂબા બનાવ્યા. તેમની એક શાખા [[ધોળકા]]માં ૧૭૮૦માં સ્થાયી થઇ અને કિલ્લાનો સૂબા બન્યા. મલિક હિમત નામના સૂબા અને તેના વંશજો ધોળકાના કસબાતી તરીકે જાણીતા છે. જાટ લોકો અમદાવાદ આવ્યા અને સુલ્તાનની કુર્નિશ બજાવી, અને તેઓ સુલ્તાને તેમને [[ચાંપાનેર]] પરના આક્રમણમાં સમાવેશ કર્યા. ત્યાં તેમણે બતાવેલી બહાદુરીને કારણ સુલ્તાને તેમને બજાણા સહિત ચોવીસ ગામોની ભેટ ધરી. આના પછી તુરંત, સુલ્તાનની પરવાનગીથી તેઓએ ઝાલાઓના હાથમાંથી [[માંડલ]] મેળવ્યું. આ ગામ સુલ્તાને મેળવ્યું પરંતુ પડોશના કેટલાક ગામો જાટોએ જાળવી રાખ્યા. મલિક ઇશાજીએ પોતાને વાલિવડા ખાતે સ્થાપિત કર્યો અને મલિક લાખા સિતાપુર અને વાણોદ ખાતે રહ્યો. મલિક હૈદર ખાન બજાણામાં સ્થાયી થયો. મલિક ઇસાજીએ ત્યારબાદ રાવમાસના હાથમાંથી વારાહી જીત્યું અને ત્યાં સ્થાયી થયો. વારાહી અને તેની આજુ-બાજુના ગામો મોટી જાટવર કહેવાય છે અને બજાણા અને તેની આજુ-બાજુના ગામો નાની જાટવર કહેવામાં આવે છે.<ref name="bg"/>
 
ગામમાં બે મોટા તળાવો આવેલા છે.<ref name="bg"/>
 
== સંદર્ભ ==