'''હિંદુ ધર્મ''' ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે. આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખાવામાં આવે છે.
હિંદુ ધર્મ, અર્વાચીન યુગમાં પળાતોપળાતા ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મૂળ વૈદિક સંસ્કૃતિમાં રહેલા છે. વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમુહનેસમૂહને સ્થાપનારી કોઈ એક વ્યક્તિ નથી. ૯૨ કરોડ અનુયાયી સાથે હિંદુ ધર્મ, [[ખ્રિસ્તી]] અને[[ ઇસ્લામ]] પછી દુનિયાને 3જોત્રીજો સૌથી મોટો ધર્મ છે. એના મોટાભાગનાંમોટાભાગના અનુયાયી [[ભારત]] તેમજ [[ નેપાળ]]માં વસે છે અને તે સિવાય [[બાંગ્લાદેશ]], [[ ઈંડોનેશિયા]], [[પાકિસ્તાન]], મલેશિયા, શ્રીલંકા, સંયુક્ત રાજ્ય અમેરિકા, સંયુક્ત આરબ અમિરાત, યુનાઈટેડ કિંગડમ, મોરેશિયસ, દક્ષિણ આફ્રીકા, [[ગુયાના]], [[ટ્રિનિદાદ અને ટોબેગો]] તથા [[સુરીનામ]]માં પણ સારી એવી સંખ્યામાં હિંદુઓ વસે છે.
હિંદુ ધર્મમાં ઘણાં ગ્રંથો છે. શ્રુતિ અને [[સ્મૃતિ]]માં વિભાજિત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષનાં સમયગાળા દરમ્યાન થયું છે તે ઈશ્વર અને આસ્થા, તત્વજ્ઞાન, પુરાણવિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે તથા રોજબરોજનાંરોજબરોજના જીવનને ધર્મસંગત રાખવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પુરૂંપૂરું પાડે છે. પરંપરાગત દ્રષ્ટીએદ્રષ્ટિએ આ ગ્રંથોમાંથી [[વેદ]] તેમજ [[ઉપનિષદ]]ને સૌથી વધુ મહત્વપૂર્ણ, પ્રાચીન તેમજ આધીકારીકઆધિકારિક માનવામાં આવે છે. અન્ય મહત્વના ગ્રંથોમાં તંત્ર, વિભાગીય અગમો, પુરાણ અને મહાકાવ્યો જેમકે [[રામાયણ]] અને [[મહાભારત]]નો સમાવેશ થાય છે. ભગવત્ભગવદ્ ગીતા કે જે મહાભારતનો અંશ છે તેને ઘણીવાર બધા વેદોનો સાર માનવામાં આવે છે.