ધીરુભાઈ ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું page v/s pages. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૪૦:
== સર્જન ==
એક સર્જકવિશેષ તરીકે [[મણિલાલ નભુભાઈ દ્વિવેદી]] અને સ્વરૂપવિશેષ રૂપે સાહિત્યનો ઈતિહાસ — આ બંને વિષયો પર ધીરુભાઈએ એકાધિક ગ્રંથો લખ્યા છે.<ref name="દરજી૨૦૧૭">{{cite book|title=ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૬ (૧૮૯૫થી ૧૯૩૫) : ગાંધીયુગીન-અનુગાંધીયુગીન ગદ્યસર્જકો|last=દરજી|first=પ્રવીણ|date=ઓગસ્ટ ૨૦૧૭|publisher=કસ્તૂરભાઈ લાલભાઈ સ્વાધ્યાયમંદિર, [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|editor-last1=દવે|editor-first1=રમેશ ર.|edition=ત્રીજી|location=અમદાવાદ|
‘મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના’ (૧૯૫૬), ‘રસ અને રુચિ’ (૧૯૬૩), ‘સાંપ્રત સાહિત્ય’ (૧૯૬૮), ‘પ્રતિભાવ’ (૧૯૭૨), ‘વિક્ષેપ’ (૧૯૭૩), ‘વિભાવિતમ્’ (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત સમુદાર રુચિ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે. નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી બહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. આ અંગેની એમની ઊંડી જાણકારી ‘નાટ્યકળા’ (૧૯૮૫) પુસ્તકમાં અને તદવિષયક અન્ય લેખોમાં પ્રતીત થાય છે. ‘[[મણિલાલ નભુભાઈ: જીવનરંગ]]’ (૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યક્તિનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠા અને વિવેક દાખવીને પાર પાડ્યું છે. ‘પરંપરા અને પ્રગતિ’ (૧૯૮૦) એ [[કસ્તુરભાઈ લાલભાઈ|કસ્તુરભાઈ લાલભાઈનું]] એમણે આપેલું બીજું ઉલ્લેખનીય ચરિત્ર છે.
લીટી ૪૬:
‘રંગકસુંબી’ (૧૯૬૩), ‘દ્રષ્ટા અને સ્રષ્ટા’ જેવા લેખ-નિબંધસંગ્રહોમાં એમણે કૃતિ કે કર્તા વિશેનાં ચિત્રો હળવી-રસાળ શૈલીમાં ઉપસાવ્યાં છે. ‘સફર સો દિવસની’-ભા.૧-૨- (૧૯૭૭) એમના વિદેશપ્રવાસી રોચક કથા છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યનો, નીરક્ષીર દ્રષ્ટિવાળો અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો ઇતિહાસ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’-ભા.૧-૨ (સંવ.આ.૧૯૮૨) સૌ કોઈ સાહિત્યરસિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે. વ્યાપકપણે ઉપયોગી નીવડે તેવાં ગુજરાતીની ગદ્યપદ્ય-કૃતિઓનાં અભ્યાસપૂર્ણ આમુખ અને મર્મદ્યોતક ટિપ્પણો સાથેનાં તેમનાં સંપાદનોમાં ‘મણિલાલની વિચારધારા’ (૧૯૪૮), ‘મણિલાલના ત્રણ લેખો’ (૧૯૪૯), ''[[કાન્તા]]'' (૧૯૫૪), ''[[નૃસિંહાવતાર]]'' (૧૯૫૫), ‘ધૂમકેતુ વાર્તાસૌરભ’-ભા.૧-૨ (૧૯૫૫), ‘જયભિખ્ખુ વાર્તાસૌરભ’ (૧૯૫૫), ‘આત્મનિમજજન’ (૧૯૫૯), ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ (૧૯૭૦), ‘મ. ન. દ્રિવેદીનું આત્મવૃત્તાન્ત’ (૧૯૭૯), ‘મારી હકીકત’ (૧૯૮૩), ‘સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે. એ જ રીતે ‘આપણાં ખંડકાવ્યો’ (૧૯૫૮) અને ‘ચંદ્રહાસાખ્યાન’ (૧૯૬૧) એમનાં અન્યના સહયોગમાં તૈયાર થયેલાં સંપાદનો છે. ‘અભિનય નાટકો’ (૧૯૬૨) તેમ જ ‘સુદર્શન અને પ્રિયંવદા’ (૧૯૬૨) એમના સંકલનગ્રંથો છે.
ધીરુભાઈએ મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જીવન પર આધારિત '[[ઊંચો પર્વત, ઊંડી ખીણ]]' (૧૯૯૩) નામે ચરિત્રનાટક લખ્યું છે. આ નાટકમાં લેખકે મણિલાલનાં કાવ્યો, ગઝલો વગેરેનો ઉપયોગ નાટકની જરૂરિયાત મુજબ કરેલો છે.<ref name="સવ્યસાચી સારસ્વત">{{cite book|editor1-last=પટેલ |editor1-first=ભોળાભાઈ |editor1-link=ભોળાભાઈ પટેલ |editor2-last=પારેખ |editor2-first=મધુસૂદન |editor2-link= |editor3-last=શેઠ |editor3-first=ચંદ્રકાન્ત |editor3-link=ચંદ્રકાન્ત શેઠ |editor4-last=દેસાઈ |editor4-first=કુમારપાળ |editor4-link=કુમારપાળ દેસાઈ |editor5-last=દરજી |editor5-first=પ્રવીણ |editor5-link=પ્રવીણ દરજી |title=સવ્યસાચી સારસ્વત (Life and Works of Shri Dhirubhai Thaker) |date=June 2007 |publisher=ધીરુભાઈ ઠાકર અભિવાદન સમિતિ |location=અમદાવાદ |
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬): ૧૮૫૦ થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતો ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧-૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૧૫-૧૯૮૦) ને આવરી લીધા છે.
|