શોણિતપુર જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યનો એક જિલ્લો છે. શોણિતપુર જિલ્લાનું મુખ્ય મથક તેજપુર શહેરમાં આવેલું છે.

આ જિલ્લાનું ક્ષેત્રફળ ૫૩૨૪ ચોરસ કિલોમીટર જેટલું છે અને આ જિલ્લામાં વસવાટ કરતી કુલ વસ્તી ૧૬,૮૧,૫૧૩ (વસ્તીગણતરી ૨૦૦૧ પ્રમાણે) જેટલી છે. આ પૈકી ૧૨,૮૭,૬૪૬ જેટલા હિંદુઓ અને ૨,૬૮,૦૭૮ (૧૫.૯૪ %) જેટલા મુસ્લિમો છે.