સ્વામી શ્રી સદાશિવજીએ સ્થાપેલ આશ્રમ 'શ્રી સદાશિવ પ્રજ્ઞા મંડળ' એ અમદાવાદમાં મોટેરા (સાબરમતી) ખાતે આવેલ છે. સ્વામી શ્રી સદાશિવજીનું પરંપરાગત નામ શ્રી ચરણગિરિ હતું, જેમના ગુરુ શ્રી લક્ષ્મણગિરિ હતા જે નીલકંઠ અખાડાના મહંત હતા. આશ્રમમાં સ્વામીજીની નિશ્રા હેઠળ મહાશક્તિ પીઠ તૈયાર થયેલ છે, જેને બલાતિબલા મહાશક્તિ પીઠ પણ કહે છે.