હરનીશ જાની

ગુજરાતી હાસ્યલેખક

હરનિશ સુધનલાલ જાની (જન્મ: ૫ એપ્રિલ, ૧૯૪૧) ગુજરાતી હાસ્યલેખક છે.

હરનિશ સુધનલાલ જાની
હરનિશ જાની
હરનિશ જાની
જન્મહરનિશ સુધનલાલ જાની
૫ એપ્રિલ, ૧૯૪૧
છોટાઉદેપુર, છોટાઉદેપુર
નોંધપાત્ર સર્જનોસુધન, સુશીલા, હરનિશ જાનીનું હાસ્યરચના વિશ્વ
નોંધપાત્ર પુરસ્કારોગુજરાતી સાહિત્ય અકાદમી, દ્વિતિય પુરસ્કાર
૨૦૦૩
ગુજરાતી સાહિત્ય પરિષદ, પ્રથમ પુરસ્કાર
૨૦૦૯
ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી જ્યોતિન્દ્ર દવે પારિતોષિક
૨૦૦૯
ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નોર્થ અમેરિકા તરફથી વેલજી મહેતા પુરસ્કાર
૨૦૧૩

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ગુજરાતના છોટાઉદેપુર જીલ્લામાં ૫ એપ્રિલ ૧૯૪૧ ના દિવસે થયો હતો, તેમનું વતન રાજપીપળા છે. ૧૯૬૨માં ગુજરાત યુનિ.માં બી.એસસી.ની અને ટેક્ષટાઈલનો ડિપ્લોમા મેળવીને ૧૯૬૯માં વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા. ત્યાં પ્લાસ્ટીક ટકનોલોજીનો અભ્યાસ કરી અને ઈન્ટરનેશનલ પ્લાસ્ટીક કલર કંપનીઓમાં ત્રીસ વરસ રિસર્ચ સાયન્ટીસ્ટ અને ટેકનીકલ ડાયરેકટર તરીકે કામ કરીને રીટાયર થયા પછી લેખન કાર્ય ચાલુ કર્યું. તેઓ ૧૯૬૯થી અમેરિકા ખાતે વસવાટ કરે છે.

સર્જન ફેરફાર કરો

પુસ્તકો ફેરફાર કરો

તેમના બે હાસ્યસંગ્રહો અને એક સંકલન પુસ્તક પ્રસિદ્ધ થયા છે.

  • "સુધન" હાસ્ય વાર્તાઓ
  • "સુશીલા" હાસ્ય નિબંધો
  • "હરનિશ જાનીનું હાસ્યરચના વિશ્વ"

અન્ય ફેરફાર કરો

૧૯૯૨માં તેમણે અમેરિકામાં પહેલો ગુજરાતી ટી.વી. કાર્યક્રમ ચાલુ કર્યો હતો અને ૧૯૯૪ સુધી ડાયરેક્ટર, રાઈટર અને પ્રેઝન્ટર તરીકે કામ કર્યું. ૧૯૬૧માં તેમની પ્રથમ વાર્તા 'ચાંદની' સામયિકમાં પ્રગટ થઈ હતી. તેમની વાર્તાને ચિત્રલેખા નો વાર્તા પુરસ્કાર પણ મળ્યો હતો. ઉપરાંત તેમના લેખો કુમાર, નવનીત સમર્પણ, ઓપિનીયન, ગુર્જરી, ગુજરાત દર્પણ અને ગુજરાત મિત્ર જેવા સામયિકોમાં પ્રસિદ્ધ થાય છે. ૨૦૧૪થી ગુજરાતી દૈનિક ગુજરાતમિત્રમાં દર અઠવાડિયે તેમની અમેરિકાને લગતી કોલમ પ્રસિધ્ધ થાય છે.

પુરસ્કાર ફેરફાર કરો

તેમના પુસ્તક "સુધન"ને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ. સ. ૨૦૦૭નો) દ્વિતિય પુરસ્કાર, સુશીલા પુસ્તકને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ. સ. ૨૦૦૯નો) પ્રથમ પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા (ઇ. સ. ૨૦૦૯નું) શ્રી જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત તેમને ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નોર્થ અમેરિકા તરફથી (ઇ. સ. ૨૦૧૩નો) વેલજી મહેતા પુરસ્કાર મળ્યો છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો