હળવદ
હળવદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. પાંચસો વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહી ચૂકેલું હળવદ ફરતો કિલ્લો અને ગઢ આવેલા છે અને આ ગઢને છ દરવાજાઓ પણ આવેલા છે. જેવા કે ધ્રાંગધ્રા દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો, દંતેશ્વર દરવાજો, ગોરી દરવાજો, તળાવ દરવાજો આજે પણ અહીં મોજૂદ છે. હળવદ શહેર મધ્યે આવેલું સાતસો એકરનો ફેલાવો ધરાવતું સામંતસર તળાવ આવેલું છે.
હળવદ | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 23°01′N 71°11′E / 23.02°N 71.18°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મોરબી |
વસ્તી | ૨૪,૩૨૩ (૨૦૦૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 46 metres (151 ft) |
ઈતિહાસફેરફાર કરો
હળવદ ગામનો પાયો રાજા રાજોધરજીએ ઇ.સ. ૧૪૮૮ના મહા વદી ૧૩ના રોજ નાખ્યો હતો. ઉપરાંત આ ગામનો વસવાટ હળ જેવો હોય તેનું નામ હળવદ પડયું છે. હળવદના વિવિધ રાજવીઓ કુશળ અને બાહોશ હતા જેમાં રાજોધરજી, માનસિંહજી, રાવસિંહજી, ચંદ્રસિંહજી, આશાહારમજી, અમરસિંહજી, મેઘરાજજી, ગજસિંહજી, જશવંતસિંહજી, પ્રતાપસિંહજી, રુપસિંહજી, રણમલસિંહજી, મયુરધ્વજસિંહજી જેવા પરાક્રમી વીર રાજાઓ થઈ ગયા.
ઇ.સ. ૧૭૦૯માં રાજા જયવંતસિંહે સામતસર તળાવના કિનારે એક ભવ્ય રાજમહેલ બનાવ્યો હતો જે આજે પણ મોજૂદ છે અને આ મહેલ થકી હળવદની ઓળખ થઈ રહી છે.
સંદર્ભફેરફાર કરો
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. the original માંથી ૧૬ જૂન ૨૦૦૪ પર સંગ્રહિત. Retrieved ૧ નવેમ્બર ૨૦૦૮. Check date values in:
|accessdate=, |archivedate=
(મદદ)
આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |