ઇલોરાની ગુફાઓ

ભારતના મહારાષ્ટ્રમાં આવેલા હિંદુ, બૌદ્ધ અને જૈન ગુફા મંદિરો

ઈલોરા (મૂળ નામ વેરુળ) એક પુરાતાત્વિક સ્થળ છે, જે ભારત દેશમાં ઔરંગાબાદ, મહારાષ્ટ્ર થી ૩૦ કિ.મિ. (૧૮.૬૦ માઈલ) જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને રાષ્ટ્રકૂટ વંશે બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે.

ઈલોરાની ગુફાઓ
કૈલાશનાથ મંદિર, ગુફા ૧૬
સ્થાનઔરંગાબાદ જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત
અક્ષાંસ-રેખાંશ20°01′36″N 75°10′38″E / 20.0268°N 75.1771°E / 20.0268; 75.1771
પ્રકારસાંસ્કૃતિક
માપદંડi, iii, vi
યાદીમાં ઉમેરેલ૧૯૮૩(૭મું સત્ર)
સંદર્ભ ક્રમાંક૨૪૩
UNESCO વિસ્તારએશિયા-પેસેફિક
ઇલોરાની ગુફાઓ is located in મહારાષ્ટ્ર
ઇલોરાની ગુફાઓ
Location of ઈલોરાની ગુફાઓ in મહારાષ્ટ્ર
ઇલોરાની ગુફાઓ is located in India
ઇલોરાની ગુફાઓ
ઇલોરાની ગુફાઓ (India)

ઈલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. અહીં ૩૪ "ગુફાઓ" અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વતનો એક ફલક છે. આમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ગુફ઼ા મંદિર બનેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ (૧-૧૨), ૧૭ હિંદુ ગુફાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસપાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિક સૌહાર્દને દર્શાવે છે.

ઈલોરાના ૩૪ મઠ અને મંદિર ઔરંગાબાદની નજીક ૨ કિમી ક્ષેત્રમાં ફેલાયેલ છે, આને ઊંચી બેસાલ્ટની ઊભા ખડકોની દીવાલો ને કાપી બનાવાયા છે. દુર્ગમ પહાડીઓ વાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ૬૦૦ થી ૧૦૦૦ ઈસવીના કાળની છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિંદૂ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ આ પ્રાચીન ભારતના ધૈર્યવાન ચરિત્રની વ્યાખ્યા પણ કરે છે. [૧]

આ સ્થળ યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ છે.[૨]

ચિત્રો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "અતુલ્ય ભારત". ઇનક્રેડેબલ ઇંડિયા. મૂળ માંથી 2007-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જૂન ૨૦૦૭.
  2. "Ellora UNESCO World Heritage Site". મેળવેલ ૧૯ ડિસેમ્બર ૨૦૦૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો