ઉમરેઠ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ઉમરેઠ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. આ ગામ ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશના મધ્યભાગમાં આવેલું છે.

ઉમરેઠ
નગર
ઉમરેઠ is located in ગુજરાત
ઉમરેઠ
ઉમરેઠ
ઉમરેઠ is located in India
ઉમરેઠ
ઉમરેઠ
અક્ષાંશ-રેખાંશ: 22°41′58″N 73°06′49″E / 22.699554°N 73.113613°E / 22.699554; 73.113613
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઆણંદ
તાલુકોઉમરેઠ
ઊંચાઇ
૪૭ m (૧૫૪ ft)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૩૩૭૬૨

ઉમરેઠ 22°42′N 73°07′E / 22.7°N 73.12°E / 22.7; 73.12 પર સ્થિત છે.[] તેની સરેરાશ ઉંચાઇ 47 metres (154 ft) છે.

ગામની ચારેય દિશાઓનાં ચાર ખૂણાઓમાં ચાર સરોવરો આવેલા છે:

  • વરસતું સરોવર (પડતા વરસાદનું સરોવર)
  • પીપળીયા સરોવર (ગોમતીનાથ સરોવર)
  • રામ સરોવર
  • કલાવતી સરોવર
 
ઉમરેઠ બસ સ્ટેશન

નગરની ફરતે કોટ (કિલ્લો), ચારેય દિશામાં દરવાજા, પ્રત્યેક દિશામાં સરોવરો અને વનરાજીથી આવેલી છે. ઉમરેઠની વિવિધ પોળ અને ફળીયાઓમાં રાજા રજવાડાના સમયના કોતરણી કરેલ મકાનો આજે પણ જોવા મળે છે.

ઉદ્યોગો

ફેરફાર કરો

હાલમાં સાડીઓની દુકાનોથી પ્રચલિત થયેલ ઉમરેઠને હવે સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામા આવે છે.[સંદર્ભ આપો] મમરા-પૌંઆની ફેક્ટરીની સંખ્યા પણ ઉમરેઠમાં મોટા પ્રમાણમા આવેલ છે.

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

ગામમાં શ્રી મૂળેશ્વર મહાદેવ, શ્રી જાગનાથ મહાદેવ, શ્રી બદ્રિનાથ મહાદેવ વગેરે પ્રાચીન શિવમંદિરો છે તથા વિષ્ણુ, ગણપતિ વગેરે વેદમાન્ય પંચદેવોના મંદિરો પણ છે. આ ઉપરાંત ઉમરેઠમાં સંતરામ મંદિર, શ્રી ગિરિરાજધામ પણ અનેરું ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીં ભદ્રકાળી વાવ આવેલી છે.[]

  1. "Umreth Population, Caste Data Anand Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-24.
  2. Falling Rain Genomics, Inc - Umreth
  3. જેટલી, કૃષ્ણવદન. "ઉમરેઠ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ સંગ્રહિત માંથી 2024-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2024-11-14.