કરણી માતા, ઉદયપુર

આ ઉદયપુર રાજસ્થાન ના દૂધ તળાવ ની પાસે મછલા મગરા ત્યાં એક હિંદુ મંદિર છે

શ્રી મંશાપૂરણ કરણી માતા મંદિર એક હિંદુ દેવી મંદિર છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ રાજસ્થાન રાજ્યમાં ઉદયપુર શહેર ખાતે આવેલ છે. આ મંદિર ઉદયપુર જિલ્લાના મચલા મગરા નામની ટેકરી પર સ્થિત છે તેમજ ઉદયપુર દૂધ તલાઈ તળાવ આ મંદિરની નજીકમાં જ આવેલ છે. આ મંદિરમાં કરણી માતાની પથ્થરમાંથી બનેલ પ્રતિમા સ્થાપિત છે. આ મંદિર ઉદયપુર શહેરની શોભા વધારે છે. આ મંદિરની આસપાસ કે મંદિર સુધી કોઈ વાહન પહોંચી શકતું ન હોવાને કારણે મંદિર અને આસપાસની જ્ગ્યા શુદ્ધ છે, ત્યાં કોઈ પ્રદૂષણ નથી એટલે કે પ્રદૂષણ-મુક્ત છે.

કરણી માતા મંદિર
શ્રી મંશાપૂરણ કરણી માતા મંદિર
કરણી માતા મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોઉદયપુર જિલ્લો
દેવી-દેવતાકરણી માતા
સ્થાન
સ્થાનઉદયપુરથી ૪ કિમીના અંતરે
રાજ્યરાજસ્થાન
દેશ ભારત
કરણી માતા, ઉદયપુર is located in રાજસ્થાન
કરણી માતા, ઉદયપુર
રાજસ્થાનના નક્શામાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ24°33′57.096″N 73°41′17.8974″E / 24.56586000°N 73.688304833°E / 24.56586000; 73.688304833
મંદિરો

સ્થાન ફેરફાર કરો

 
મંદિરનું પ્રાંગણ.
 
મંદિરનો બાજુ પરથી દેખાવ.

કરણી માતા મંદિર, ઉદયપુર શહેરના કેન્દ્રમાં સ્થિત છે, જે વધુ દૂર નથી, મહારાણા પ્રતાપ હવાઈમથક ૨૪ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે, જ્યારે ઉદયપુર શહેરના રેલવે સ્ટેશન અને ઉદયપુર શહેરના બસ મથક પરથી માત્ર ૪ કિલોમીટર દૂર આવેલ છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓ સ્થાનિક ટાંગા, ઓટો-રીક્ષા દ્વારા પણ પહોંચી શકે છે. આ ટાંગા અને ઓટો-રીક્ષા માત્ર દૂધ તલાઈ તળાવ સુધી જ લઈ જાય છે. જો કે દૂધ તલાઈ તળાવ ખાતેથી આ રજ્જુ-માર્ગ (Ropway) દ્વારા પણ જઈ શકાય છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. "Udaipur-The City of lakes". Andhrawishesh.com. Andhrawisesh. મૂળ માંથી 2017-01-23 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ જાન્યુઆરી ૨૦૧૭.