કૈકેયી
ભારતીય ઉપખંડના મહાકાવ્ય પૈકીના એક એવા રામાયણમાં વર્ણવ્યા મુજબ કૈકેયી એ ભગવાન રામના ભાઈ ભરતના માતૃશ્રી અને રાજા દશરથનાં ધર્મપત્ની હતાં. રાજા દશરથને કૈકેયી ઉપરાંત કૌશલ્યા અને સુમિત્રા એમ બીજી પણ બે રાણીઓ હતી.
કૈકેયી | |
---|---|
![]() કૈકેયીના રામને વનવાસ મોકલવાનું વચન પૂરું કરતા દશરથ (અયોધ્યા કાંડ હસ્તપ્રતનું ચિત્ર) | |
મહાકાવ્ય | રામાયણ |
માહિતી | |
કુટુંબ | અશ્વપતિ (પિતા) |
જીવનસાથી | દશરથ |
બાળકો | ભરત (પુત્ર) |
કૈકેયીને રાજા દશરથે આપેલાં બે વચનની તેણીએ ભગવાન રામના રાજ્યાભિષેક પહેલાં માંગણી કરી હતી. જેમાં રામ વનવાસ જાય અને કૈકેયીપુત્ર ભરત ગાદીએ બેસે એવાં બે વચન હતાં. આ વચન તેણીએ મંથરા નામની દાસીની સલાહ પ્રમાણે માંગ્યા હતા. કૈકેયી કૈકય દેશની રાજકુમારી હતી, એટલા માટે તેનું નામ કૈકેયી હતુ.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |