ચિત્રવિચિત્રનો મેળો

ગુજરાત (ઉત્તર)માં યોજાતો એક આદિવાસી મેળો

ચિત્રવિચિત્રનો મેળો ભારત દેશના ગુજરાત રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં, મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે.[૩]

ચિત્રવિચિત્રનો મેળો
ચિત્રવિચિત્રના મેળામાં મુલાકાતી
પ્રકારસાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર
તારીખોમાર્ચ અથવા એપ્રિલ (હોળીના બે અઠવાડિયા પછી)[૧]
અવધિવાર્ષિક
સ્થાનગુણભાંખરી, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત
અક્ષાંસ-રેખાંશ24°20′45″N 73°07′35″E / 24.345828°N 73.126276°E / 24.345828; 73.126276
દેશભારત
હાજરી૬૦,૦૦૦[૨]

ગુજરાત તેમ જ રાજસ્થાન રાજ્યોમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓનાં ખોળામાં આવેલા આ વિસ્તારમાં આદિકાળથી આદિવાસીઓ વસવાટ કરે છે. કુદરતનાં સાનિધ્યમાં તેમ જ ગાઢ જંગલોમાં વસતી આદિવાસી પ્રજાનાં તહેવારો, ઉત્સવો, રીતરિવાજો, પરંપરાઓ તેમ જ પોશાકો એમનો મિજાજની ચિત્રવિચિત્રનાં મેળામાં માણવા મળે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. Bradnock, Robert; Bradnock, Roma (1999). Footprint India Handbook 2000. Bath: Footprint Handbooks.
  2. District Census Handbook Sabarkantha Part XII-B (PDF). Directorate of Census Operations. 2011.
  3. "KCG - Portal of Journals". www.kcgjournal.org. મૂળ માંથી 2019-10-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો