ચુનીલાલ શાહ

લેખક, નવલકથાકાર

ચુનીલાલ વર્ધમાન શાહ ‍(ઉપનામ: સાહિત્યપ્રિય) (૨ મે ૧૮૮૭ – ૧૨ મે ૧૯૬૬) ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર હતા. તેમનો જન્મ વઢવાણ ખાતે થયો હતો. વ્યવસાયે તેઓ રાજસ્થાન અને જૈનોદય સામાયિકોના સંપાદક હતા. તેમણે અખંડ આનંદનું સંપાદન કરેલું અને પ્રજાબંધુ સાપ્તાહિકના સહતંત્રી હતા.[૧] ૧૯૩૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.

ચુનીલાલ શાહ
જન્મનું નામ
ચુનીલાલ શાહ
જન્મચુનીલાલ વર્ધમાન શાહ
(1887-05-02)2 May 1887
વઢવાણ, ગુજરાત
મૃત્યુ12 May 1966(1966-05-12) (ઉંમર 79)
ઉપનામસાહિત્યપ્રિય
નોંધપાત્ર પુરસ્કારોરણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૭)

સર્જન ફેરફાર કરો

નવલકથા ફેરફાર કરો

  • પ્રમોદા અથવા દિલેર દિલારામ (૧૯૦૭)
  • ધારાનગરીનો મુંજ (૧૯૧૧)
  • ચાણક્ય અને ચંદ્રગુપ્ત
  • નોકરીનો ઉમેદવાર (૧૯૧૪)
  • કર્તવ્ય કૌમુદી (૧૯૧૫)
  • પાટણની પડતીનો પારંભ (૧૯૧૫)
  • ન્યાયના મૂળમાં નીતિ (૧૯૧૬)
  • મૂળરાજ સોલંકી (૧૯૨૦)
  • રૂપમતી (૧૯૪૧)
  • વિષચક્ર(૧૯૪૬)
  • કંટક છયો પંથ (૧૯૬૩) (બૃહદ નવલકથા)
  • જિગર અને અમી (૧૯૪૪)

નાટકો ફેરફાર કરો

  • ચાંપરાજ હાંડો (૧૯૦૬)
  • દેવકીનંદન (૧૮૫૮)
  • સાક્ષર મહાશય (૧૯૬૪)

નવલિકા સંગ્રહ ફેરફાર કરો

  • વર્ષા અને બીજી વાતો (૧૯૫૪)

ચરિત્ર સંગ્રહ ફેરફાર કરો

  • ધરતીને ખોળે (૧૯૪૪)

બાળસાહિત્ય ફેરફાર કરો

  • હૈયાનું ધામ (૧૯૬૩)

સમીક્ષા ફેરફાર કરો

  • ૧૯૩૦-૩૧ના ગ્રંથસ્થ વાડ્મય

અનુવાદ ફેરફાર કરો

  • હૈયાની થાપણ (૧૯૫૬)
  • ભોળો ખેડૂત (૧૯૫૬)

સંદર્ભ ફેરફાર કરો

  1. કચોટ, ડો. સંજય (2014-10-10). ગુજરાતી પત્રકારત્વનું સાહિત્યિક અને સામાજીક પ્રદાન. RED'SHINE Publication. Inc. ISBN 9789384190125.