દિનકરરાય કેશવલાલ વૈદ્ય

ગુજરાતી કવિ, પક્ષીવિદ્

મીન પિયાસી (૧૯૧૦-૨૦૦૦). મૂળ નામ દિનકરરાય કેશવલાલ વૈદ્ય. જેઓ તેમના ઉપનામ મીનપિયાસી વડે વધુ જાણીતાં છે[૨], ગુજરાતી ભાષાના કવિ અને પક્ષીવિદ્ હતા.[૩] મીનપિયાસી કવિ,પક્ષીવિદ્, ખગોળવિદ્, થિયોસોફિસ્ટ હતાં. તેઓ પ્રકૃતિપ્રેમી હતાં. તેમનો નળ સરોવરના પક્ષીઓનો અભ્યાસ ઘણો જાણીતો બન્યો હતો.[૪]

મીનપિયાસી
જન્મદિનકરરાય કેશવલાલ વૈદ્ય
૨૧ સપ્ટેમ્બર, ૧૯૧૦
મૃત્યુ૨૦૦૦
ઉપનામમીનપિયાસી
વ્યવસાયકવિ, પક્ષીવિદ્, ખગોળવિદ, પ્રકૃતિવિદ્
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
લેખન પ્રકારોકવિતા
નોંધપાત્ર સર્જનો
  • વર્ષાજલ (૧૯૬૬)
જીવનસાથીમનોરમા ‍(૧૯૩૧-૧૯૫૬‌)
સંતાનોવર્ષા (પુત્રી)[૧]

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૨૧ સપ્ટેમ્બર, ૧૯૧૦ના રોજ જેતપુરમાં થયો હતો. તેમના પિતા કેશવલાલ અને માતા મુક્તાબહેન હતાં. જ્ઞાતીએ પ્ર્શ્નોરા નાગર અને પિતાનો વ્યવસાય વૈદ્યનો. તેઓ ચુડા રજવાડાના રાજવૈદ્ય હતા.

કવિ મુંબઈની ન્યુ ભરડા હાઇસ્કુલમાંથી ઈ.સ.૧૯૨૯ માં મેટ્રિક અને પછી નેશનલ મેડિકલ કોલેજમાંથી ઇન્ટર એલ.સી.પી.એસ. થયા. મુંબઈનું વાતાવરણ માફક ન આવતાં તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી ચુડા આવી પિતાની સાથે વૈદકના વ્યવસાયમાં જોડાઈ ગયા. વૈદકીય વ્યવસાય વારસામાં મળ્યો. કવિના પિતાશ્રી ઝંડુ ભટ્ટજીના સગા ભત્રીજા થાય છે. કવિના પિતાશ્રી થિયોસોફિસ્ટ હતાં તેમણે ચુડા ગામમાં અંગ્રેજી માધ્યમની સ્કુલ શરૂ કરાવી હતી. આજે તેમાથી હાઇસ્કુલ થઈ છે.

ઈ.સ.૧૯૩૧ માં મંજુલાબહેન,(એમનું નામ મનોરમા પણ હતું.) સાથે લગ્ન થયા. પરંતુ ૧૯૫૬ વિધુર થયા અને કવિની કલ્પનાની પાંખ કપાઇ ગઈ. તેમને એક પુત્રી છે જેમનું નામ વર્ષાબહેન છે. કવિ પાસે કાયમ દૂરબીન રહેતું. વિશિષ્ટ્તા એ છે કે કવિએ પોતાના વતન ચુડા ગામમાં જ રહીને ખગોળ તથા પક્ષીઓનો અભ્યાસ કરી તેમના વિશે લખ્યું. બસ્સો થી વધુ પક્ષીઓને લગતી વિગતો શાસ્ત્રીય ઢબે એકત્ર કરી નોંધ કરેલ છે. તેમની અંગત લાઈબ્રેરી પંખીઓના તથા ખગોળ શાસ્ત્રના તેમજ થિયોસોફિના પુસ્તકોથી સમૃદ્ધ છે.

સર્જન ફેરફાર કરો

તેમના બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા હતા.[૩] ૨૦૧૬ માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મીનપિયાસીની તમામ રચનાઓ પ્રકાશિત અને અપ્રકાશિત ઝુલ ઝાલાવાડ ઝુલ શીર્ષક હેઠળ પુસ્તક રૂપે પ્રગટ થઇ છે. કવિતા ઉપરાંત ખગોળ પર, પક્ષીઓ ઉપર અને થિયોસોફી પર પણ પુસ્તકો પ્રકાશીત થયા છે.

કાવ્યસંગ્રહો ફેરફાર કરો

  • વર્ષાજલ (૧૯૬૬)
  • ગુલછડી અને જુઈ (૧૯૮૬)
  • ઝુલ ઝાલાવાડ ઝુલ (૨૦૧૬) (સંપૂર્ણ સર્જન)

અન્ય ફેરફાર કરો

  • ખગોળની ખુબીઓ
  • પંખીમેળો (૧૯૯૨)
  • નળ સરોવરના પંખી
  • મરણ તો નથી જ (૧૯૯૭)
  • અથ થી ઇતિ

સંદર્ભ ફેરફાર કરો

  1. શિશિર રામાવત (૨૦ જુલાઇ ૨૦૧૬). "હું અલબેલો અલગારી... (ટેક ઓફ)". સંદેશ. મૂળ માંથી ૨૬ મે ૨૦૨૦ પર સંગ્રહિત. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૬.
  2. "અિંકચનત્વ બદમાસીવાળી વિપુલતા કરતા બહેતર". divyabhaskar. 2014-05-24. મેળવેલ 2020-05-26.[હંમેશ માટે મૃત કડી]
  3. ૩.૦ ૩.૧ શિશિર રામાવત (૧૩ જુલાઇ ૨૦૧૬). "મીનપિયાસીની ડાયરીનું અંગત અંગત... (ટેક ઓફ)". સંદેશ. મેળવેલ ૧૩ જુલાઇ ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  4. Gujarat State Gazetteers: Surendranagar District. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. ૧૯૭૭. પૃષ્ઠ ૬૨૩. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૬.