નાગેશ્વર

બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક

નાગેશ્વર કે નાગનાથશંકરના બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે જેનો ઉલ્લેખ શિવપુરાણ અને અન્ય હિંદુ શાસ્ત્રોમાં કરવામાં આવેલો છે. આ જ્યોતિર્લિંગનું મૂળ મંદિર મહારાષ્ટ્રના ઔંધમાં આવેલું છે. ગુજરાતના દ્વારકાની સીમમાં પણ આવા એક મંદિરનો દાવો ૧૯૮૦ના દાયકા બાદ કરવામાં આવતો રહ્યો છે[૧]. આ ઉપરાંત ઉત્તરાખંડના અલમોડા સ્થિત જગતેશ્વર મંદિર પણ નાગેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર હોવાના દાવા થાય છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ
નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર
નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોહિંગોલી જિલ્લો
દેવી-દેવતાશિવ
તહેવારોમહા શિવરાત્રિ
સ્થાન
સ્થાનઔંધ નાગનાથ
રાજ્યમહારાષ્ટ્ર
દેશભારત
નાગેશ્વર is located in મહારાષ્ટ્ર
નાગેશ્વર
નાગેશ્વરનું ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ19°32′14″N 77°02′29″E / 19.537087°N 77.041508°E / 19.537087; 77.041508
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારહેમાદપંથી
નિર્માણકારસ્વયંભુ
Aundha Nagnath
ઔંધ નાગનાથના મંદિર પરનું શિલ્પ

નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને દારુકાવન નાગેશમ્ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.

કથા ફેરફાર કરો

શિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારુકાવન (એક પૌરાણીક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકાવનનો ઉલ્લેખ આવે છે.

દારુકા નામની રાક્ષસી એ મહાન તપ કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા. તેણે માતાને કહ્યું હતું કે "વનમાં ઘણી ઔષધિઓ હોય. જ્યાં લોકોને તેની જરૂરત હોય ત્યાં હું વનને લઇ જઈ શકું એવું વરદાન આપો." માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું.

શિવપુરાણ અનુસાર સુપ્રિય નામના શિવભક્ત અને અન્યોને દારુકાએ દારુકવનમાં બંદી બનાવી રાખ્યા હતા. આ વન સર્પોનું હતું અને દારુકા તેમની સ્વામીની હતી. સુપ્રિયના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યાં.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. પાંડે, પવન (૨૬ એપ્રિલ ૨૦૨૦). "Nageshwar in Dwarka : A fraud on innocent Hindus". timesofindia.indiatimes.com. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૨૪.
  2. "Dharmakshetra.com". મૂળ માંથી 2003-11-25 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-28.