બચુભાઇ રાવત

ગુજરાતી સંપાદક અને કલા વિવેચક

બચુભાઈ પોપટભાઈ રાવત (૨૭ ફેબ્રુઆરી ૧૮૯૮ – ૧૨ જુલાઇ ૧૯૮૦) સંપાદક અને કલા વિવેચક હતા.[૧]

બચુભાઈ રાવત
જન્મબચુભાઈ પોપટભાઈ રાવત
(1898-02-27)27 February 1898
અમદાવાદ, ગુજરાત, ભારત
મૃત્યુ12 July 1980(1980-07-12) (ઉંમર 82)
વ્યવસાયસંપાદક અને કલા વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારો

જીવન ફેરફાર કરો

બચુભાઇ રાવતનો જન્મ ૨૭ ફેબ્રુઆરી ૧૮૯૮ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલ ખાતે પૂર્ણ કર્યું. તેમણે ૧૯૧૪માં ત્યાંથી જ મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે ૧૯૧૫ થી ૧૯૧૯ દરમિયાન સંગ્રામજી હાઇ સ્કૂલ, ગોંડલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી. ૧૯૨૦ થી ૧૯૨૧ દરમિયાન તેમણે સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય ખાતે કામ કર્યું. ૧૯૨૨–૨૩ દરમિયાન તેમણે નવજીવન પ્રકાશન મંદિરના પ્રકાશન વિભાગમાં કામ કર્યું. ૧૯૨૪ થી ૧૯૪૨ દરમિયાન તેમણે રવિશંકર રાવળની સાથે કુમાર માસિકનું સંપાદન કાર્ય સંભાળ્યું. ૧૯૩૦માં તેમણે સાહિત્યની કાર્યશાળા બુધ સભાની સ્થાપના કરી જે હજુ સુધી કાર્યરત છે. પછીથી ૧૯૪૩ થી ૧૯૮૦ સુધી તેમણે કુમારનું તંત્રી પદ સંભાળ્યું. ૧૯૫૩માં તેઓ મુંબઈ રાજ્ય લિપિ સુધારણા સમિતિમાં હતા. ૧૯૫૪માં તેઓ ૬ વર્ષ માટે બોમ્બે રાજ્યની ધારા સભામાં સભ્ય બન્યા. તેઓ પ્રથમ ગુજરાતી મુદ્રક પરિષદ અને ૧૯૬૫માં સુરતમાં યોજાયેલી ૨૩મી વાર્ષિક ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ પદે રહ્યા હતા. તેઓ ૧૨ જુલાઇ ૧૯૮૦ના રોજ અવસાન પામ્યા.[૧][૨][૩][૪][૫]

સર્જન ફેરફાર કરો

ગુજરાતી સાહિત્યના ગાંધી યુગમાં ખાસ કરીને કુમારમાં તેમણે કરેલા સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વે અગત્યનો ફાળો આપ્યો છે.[૬] તેઓ છંદોબદ્ધ કવિતાના આગ્રહી હતાં, અને છંદ વગર કવિતાનું સર્જન શક્ય નથી તેવો મત ધરાવતા હતાં.[૭] ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા તેમના કળા અને કળા વિવેચનના નિબંધોનો સંગ્રહ છે. તેમણે ગુજરાતી લિપી પર ગુજરાતી લિપિના નવા પરોઢના નિર્માણ પુસ્તક લખ્યું છે. ટૂંકી વાર્તાઓ (૧૯૨૧) તેમની હિંદીમાંથી અનુવાદિત ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે.[૨]

પુરસ્કારો ફેરફાર કરો

૧૯૪૮માં ગુજરાતી પત્રકારત્વમાં તેમના યોગદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ૧૯૭૫માં તેમને ભારતનો ચોથા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી પ્રાપ્ત થયો હતો.[૨][૮]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિના સંવર્ધક બચુભાઇ રાવત". ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૪. મૂળ માંથી 2017-02-02 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "બચુભાઈ રાવત (Bachubahi Ravat)". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૭.
  3. Sisir Kumar Das (૨૦૦૦). History of Indian Literature. Sahitya Akademi. પૃષ્ઠ ૬૯૨. ISBN 978-81-7201-006-5.
  4. The Indian P.E.N. ૪૦-૪૧. ૧૯૭૪.
  5. The Indian Publisher and Bookseller. Sadanand G. Bhatkal. ૧૯૭૩. પૃષ્ઠ ૧૬૬.
  6. Sisir Kumar Das (૧૯૯૧). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy. Sahitya Akademi. પૃષ્ઠ ૫૮૮. ISBN 978-81-7201-798-9.
  7. Kirit Doodhat; Labhshankar Thaker (September–October 2000). "Labhshankar Thaker in Conversation with Kirit Dhoodhat, Ramesh Dave, Bipin Patel and Anil Vyas". Indian Literature. New Delhi: Sahitya Akademi. JSTOR 23343442.CS1 maint: date format (link)  
  8. "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). ૨૧ મે ૨૦૧૪. પૃષ્ઠ ૩૭–૭૨. મૂળ (PDF) માંથી 2016-11-15 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ માર્ચ ૨૦૧૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો