માધવરાયનો મેળો (માધવપુર ઘેડ)

ગુજરાતના માધવપુર ગામનો લોકમેળો

માધવરાયનો લોકમેળો દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન કૃષ્ણના ભક્તજનો એકઠા થાય છે જે મેળાનું સ્વરૂપ ધારણ કરે છે.

સ્થળ અને સમય ફેરફાર કરો

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય છે.[૧][૨]

ઈતિહાસ ફેરફાર કરો

એક લોકવાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ સ્વયં રુકમણીની વિનંતી તેમનું અપહરણ કરી અહીં મંદિરમાં આવી એમની સાથે પરણ્યા હતા. તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવરાયનો મેળો યોજવામાં આવે છે.[૧]

ધાર્મિક મહત્ત્વ ફેરફાર કરો

કૃષ્ણ અને રુકમણી ના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહીં વિધિવત રીતે ઉજવાય છે.[૧]

પ્રથમ દિવસે ગણેશનીની સ્થાપના કરી લગ્નપત્રિકઓા મોકલવમાં આવે છે. પછી કૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે.[૨] આ મેળામાં કચ્છથી મેર જાતિના લોકો વિશેષ રીતે જોડાય છે, તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવતા હોય છે. કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે.[૧]

ભગવાનનું ફુલેકુ, કડછા સમુદાય દ્વારા ઘોડેસવારો સાથેનું સામૈયુ, ભગવાનનો દોડતો રથ અને ચોરીના ચાર ફેરા જેવા પ્રસંગો જોવા દેશભરમાંથી શ્રદ્ધાળુ લોકો આવે છે.[૧]

આ મેળા માટેનું એક દુહો જાણીતો છે.[૨]

માધવપુરનો માંડવો, આવે
જાદવ કુળની જાન,
પરણે રાણી રુકમણી જ્યાં,
વર દુલ્હા ભગવાન.

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ સેદાણી, હસુતાબેન શશીકાંત (૨૦૧૫). ગુજરાતની લોકસંસ્કૃતિ. અમદાવાદ: યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૮૬. ISBN 97-89-381265-97-0.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ જાદવ, જોરાવરસિંહ (૨૦૧૦). ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૧૮૭.