ઇતિહાસ એવું કહે છે અને દંતકથા એવી છે કે ગોકુળના નંદરાયનાં પત્ની માતા યશોદા તેમના પૂર્વજન્મમાં રાજા દશરથના માનીતી રાણી કૈકેયી હતા. જેમણે શ્રી રામચંદ્રને (વિષ્ણુ અવતારને) વનવાસ અપાવી અપયશ અને અપકીર્તિ મેળવ્યાં હતાં. શ્રીરામના કહેવાથી જ કૈકેયીએ દશરથ રાજાને વચનબદ્ધ કરી રામને વનવાસ મોકલવા વચન માગ્યું હતું, પરંતુ ત્યારબાદ કૈકેયીએ રામને બીજા જન્મમાં પોતાના પુત્ર તરીકે જન્મ લેવા વિનંતી કરી હતી. ત્યારે શ્રી રામે કહ્યું હતું કે પુત્ર તરીકે જન્મ આપનારા માતા કહેવડાવવા કરતાં, હું તમારો કનૈયો કહેવાઇશ અને તમારા ખોળામાં જ રમીશ. આથી માતા યશોદા બીજા જન્મમાં શ્રી કૃષ્ણનાં પાલક માતા બની તેમના સહેવાસમાં રહેતાં હતાં.