રતિલાલ બોરીસાગર

ગુજરાતી ભાષાના હાસ્યલેખક, નિબંધકાર

રતિલાલ બોરીસાગર ગુજરાતી ભાષાના હાસ્યલેખક, નિબંધકાર સાહિત્યકાર છે.

રતિલાલ બોરીસાગર
રતિલાલ બોરીસાગર ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૯
રતિલાલ બોરીસાગર ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૯
જન્મ (1938-08-31) 31 August 1938 (ઉંમર 85)
સાવરકુંડલા
વ્યવસાયશિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., બી.એડ., પીએચ.ડી.
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૯)
જીવનસાથીસુશીલાબહેન
માતા-પિતાઓસંતોષબહેન, મોહનલાલ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધગુજરાતીમાં સાહિત્યિક સંપાદન: વિવેચનાત્મક અધ્યયન (૧૯૮૯)
માર્ગદર્શકચંદ્રકાન્ત શેઠ

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો. તેમણે એમ.એ., બી.એડ. તથા ૧૯૮૯માં સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન વિષય પર પીએચ.ડી. ની પદવી મેળવી. ત્યાર બાદ તેઓ શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર જેવી વિવિધ નોકરીઓ કરી ક્લાસ-વન ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી રહ્યા હતા. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે.[૧]

સર્જન ફેરફાર કરો

તેમની મુખ્ય રચનાઓમાં મરકમરક, આનંદલોક, અર્વાચીન ગુજરાતી હાસ્ય રચનાઓ નામે હાસ્ય લેખ, સંભવામિ યુગે યુગે નામે લઘુનવલ તથા બાલ વન્દના નામે બાલસાહિત્ય આપી છે.[૧]

સન્માન ફેરફાર કરો

૨૦૧૯માં તેમને નિબંધસંગ્રહ મોજમાં રેવું રે! માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૯) પ્રાપ્ત થયો હતો.

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ પારેખ, મધુસૂદન (૨૦૦૧). "બોરીસાગર, રતિલાલ મોહનલાલ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૪ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 57. OCLC 163822128.

બાહ્ય કડીઓ ફેરફાર કરો