દેવાનંદ સ્વામી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
{{નિષ્પક્ષતા}}
'''દેવાનંદ સ્વામી''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના કવિ હતા. તેમની પદ્ય રચનાઓ ઉપદેશ પ્રધાન હતી. તેમની કવિતા- ભજનો સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રત્યેક મંદિરોમાં ખુબ જ ગવાય છે.
==જીવન==
તેમનો જન્મ ઈ.સ ૧૮૦૩માં [[બળોલ (તા. લીંબડી)|બળોલ]] ગામમાં શંભુદાન ગઢવીને ઘેર થયો હતો. શંભુદાન ગઢવી બળોલની સીમમાં આવેલ ધિંગડા ગામની નજીક આવેલ અચળેશ્વર મહાદેવના મંદિરનાં પુજારી હતાં. તેમનું જમ સમયનું નામ દેવીદાન ગઢવી હતું.
ઈ.સ ૧૮૦૩માં [[બળોલ (તા. લીંબડી)|બળોલ]] ગામમાં શિવભક્ત શંભુદાન ગઢવીને ઘેર એક તેજસ્વી બાળકે જન્મ ધારણ કર્યો. તેનું નામ હતું દેવીદાન ગઢવી. દેવીદાને સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા ધારણ કરી અને નામ પડ્યું દેવાનંદ સ્વામી. બાલ્યાવસ્થામાં પ્રહલાદની જેમ તેમને આધ્યાત્મમાં વધુ રુચી હતી. પરિવારમાં ભગવાન ભોળાનાથની ભક્તિની પરંપરા હતી. આનુવંશિક ગુણૉ પ્રમાણે ભક્તિ કવિતાની રચના તેને કુદરતી રીતે જ આવડતી. પિતા પાસે જ થોડું અધ્યયન કરતા અને નામસ્મરણમાં લીન રહેતા. શંભુદાન ગઢવી બળોલની સીમમાં આવેલ ધિંગડા ગામની નજીક આવેલ અચળેશ્વર મહાદેવના મંદિરનાં પુજારી હતાં. દેવીદાન તેમનાં પિતાશ્રી સાથે અવારનવાર મહાદેવની સેવામાં સાથે જતાં અને મંદિરમાં ભોળાનાથની ઉપાસનામાં તલ્લીન થતાં. એક લોકવાયકા પ્રમાણે રામાયણકાળના અત્રી મુનીએ આ મહાદેવની સ્થાપના કરેલી. દેવીદાનનાં નાજુક મનમાં પ્રભુ પ્રત્યક્ષ દર્શનની તાલાવેલી હતી. એકવાર તો તેમણે જો શિવ પ્રત્યક્ષ ન થાય તો મસ્તક તેમના ચરણે ફુલ જેમ ધરીને આ પંચભૌતિક દેહનો ત્યાગ કરવાની ઇચ્છા થઇ આવી. બાળકની આવી હઠીલી ભક્તિથી ભોળાનાથે આકાશમાંથી અવાજ કર્યો: "આત્મહત્યા ના કર,બાળક તને પ્રગટ ભગવાન મળશે". આ બાળકે સામે પ્રશ્ન કર્યો. "ક્યાં અને કેવી રીતે મળશે"? આકાશવાણીએ કહ્યું: "વત્સ, તારા જ ગામમાં ભગવાન આવશે અને કોઈક અલૌકિક લીલા કરશે". બસ, હવે તો એ દિવસની ઇંતેજારીમાં દિવસો યુગ યુગના થવા લાગ્યા. પણ ભગવાન આવ્યા પણ ખરા. ભગવાન સ્વામિનારાયણ બળોલમાં પધાર્યા. ગામનાં હરિભક્ત રૈયા ખટાણાને ઘેર પધાર્યા. ભગવાનને દુધ અને થુલી જમવા આપ્યાં. ઘરમાં અંધારું હતું એટલે મહારાજે કહ્યું કે અમારે બહાર જમવું છે. ફળીયામાં રૈયા ભગતનું ગાડું પડેલું તેની ઉપર બેસીને જમવા લાગ્યા. જમતા જમતા તાંસળીમાંથી દુધ પીતા હતાં ત્યારે દુધનાં રેલા નીચે કોણીએ ઉતર્યા. ભગવાન કોણીએ જીભ અડાડીને દુધ ચાટવા લાગ્યા. આ જોઇને દેવીદાને પગ પકડી લીધા. આપ સ્વયં ભગવાન છો. મારો સ્વીકાર કરો. બસ ,ત્યારથી આ દેવીદાન સ્વામિનારાયણના આશ્રિત બની ગયા.▼
તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા ધારણ કરી અને ત્યાર બાદ તેમનું નામ દેવાનંદ સ્વામી રાખવામાં આવ્યું. તેઓ બહુધા મુળીમાં નિવાસ કરીને રહેતા હતા.
==સાહિત્ય રચના==
તેઓ સંપ્રદાયના બંધારણમાં બંધાયેલા કવિ હતા એટલે તેમણે ભક્તિ પ્રધાન રચનાઓ વધુ કરી છે. સંસારની અસાર સ્થિતિનો ચિતાર પણ તેમની પદ રચનાઓમાં જોવા મળે છે. તેમની રચનાઓ "દેવાનંદ કાવ્યમ" ના નામથી સુરેન્દ્રનગર ગુરુકુલ દ્વારા શા. શ્રીનારાયણદાસજી સ્વામીએ પ્રકાશિત કરેલ છે. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય એવા તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ [[દલપતરામ ]]ના ગુરુ હતા.{{cn}}
બાલ્યાવસ્થામાં પ્રહલાદની જેમ તેમને આધ્યાત્મમાં વધુ રુચી હતી. પરિવારમાં ભગવાન ભોળાનાથની ભક્તિની પરંપરા હતી. આનુવંશિક ગુણૉ પ્રમાણે ભક્તિ કવિતાની રચના તેને કુદરતી રીતે જ આવડતી. પિતા પાસે જ થોડું અધ્યયન કરતા અને નામસ્મરણમાં લીન રહેતા.
▲
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]]
|