વિષ્ણુ પ્રયાગ
વિષ્ણુ પ્રયાગ એ હિંદુ ધર્મનાં પ્રસિદ્ધ પર્વતીય તીર્થોં પૈકીનું એક તીર્થ છૅ, ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય રાજ્ય ઉત્તરાખંડ ખાતે આવેલું છે. વિષ્ણુ પ્રયાગ ધોળી ગંગા (શ્વેત ગંગા) તથા અલકનંદા નદીઓના સંગમ પર વિષ્ણુપ્રયાગ સ્થિત છે. સંગમ પર ભગવાન વિષ્ણુજીની પ્રતિમાથી સુશોભિત પ્રાચીન મંદિર અને વિષ્ણુ કુંડ દર્શનીય સ્થળો છે. આ સ્થળ ૩૦.૫૬૭° N ૭૯.૫૬૭° E.[૧] પર દરિયાની સપાટીથી ૧૩૭૨ મીટર જેટલી ઊંચાઈ પર આવેલું છે. વિષ્ણુ પ્રયાગ જોશીમઠ અને બદ્રીનાથને જોડતા સડક માર્ગ પર આવેલું છે.


પંચ પ્રયાગ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |