સરદાર ભક્તિ થાપા

નેપાલ-અંગ્રેજ યુદ્ધકે નાયક

સરદાર ભક્તિ થાપા એ નેપાળ-અંગ્રેજ યુદ્ધના સમયમાં નેપાળની સેનામાં એક વરિષ્ઠ સૈનિક હતા. એમણે પોતાની ૮૦ વર્ષની ઉંમરમાં નેપાળ - અંગ્રેજ યુદ્ધમા દેઉથલ નામના સ્થળ પર થયેલી લડાઇમાં નેતૃત્વ કર્યું હતું. આ યુદ્ધમા અંગ્રેજો તરફથી થયેલા હુમલાને ખાળવામાં એમનું મૃત્યુ થયું હતું. એમના આ સાહસની કદર કરતાં અંગ્રેજોએ એમના શબનો પૂર્ણ સૈનિક સમ્માન સાથે અંતિમ વિધિ કર્યો હતો. એમની શહાદતના સમ્માનમા એક સ્મારક પણ બનાવવામાં આવ્યું છે, જે હાલના સમયમાં ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. એમને નેપાળ દેશની રાષ્ટ્રિય વિભૂતિ માનવામાં આવે છે.

સરદાર ભક્તિ થાપા
વૃદ્ધ સરદાર ભક્તિ થાપા
જન્મવિક્રમ સંવત ૧૮૦૦
લમ્જુઙ્ગ જિલ્લો, નેપાળ
મૃત્યુદેઉથલ, ઉત્તરાખંડ, ભારત
દેશ/જોડાણ   નેપાળ
હોદ્દોસરદાર
યુદ્ધોનેપાળ-અંગ્રેજ યુદ્ધ

જન્મ ફેરફાર કરો

ભક્તિ થાપાનો જન્મ નેપાળના લેંગજંગ જિલ્લાના પુંવર થાપા ક્ષત્રિય કુળમાં થયો હતો.[૧]

જીવન ફેરફાર કરો

શરૂઆતમાં, તેઓ લામજુંંગના રાજા કેહરી નારાયણ શાહ હેઠળ લડ્યા. પરંતુ પાછળથી તેઓ ગોરખાના રાજ્યની સેનામાં જોડાયા. સૈન્યમાં તેમને સરદારનું સ્થાન આપવામાં આવ્યું હતું.

વંશજ ફેરફાર કરો

પુંવર થાપા ક્ષત્રી ઇચ્છે છે કે તેમના આશ્રયદાતા ભક્તિ થાપાને શહીદ જાહેર કરવામાં આવે.[૧] સરકાર ભક્તિ થાપાના આઠમા વંશજ અર્જુન બહાદુર થાપા, ભૂતપૂર્વ સાર્ક મહાસચિવ હતા.

સંદર્ભ ફેરફાર કરો