સુરગાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના કુલ ૧૫ તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. સુરગાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.

સુરગાણા રાજ્ય ધોરી માર્ગ દ્વારા નાસિક તેમ જ ગુજરાત રાજ્યના વાપી, કપરાડા અને ધરમપુર સાથે જોડાયેલું છે. સુરગાણા તાલુકાનો મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ તેમ જ વન-આચ્છાદિત છે. અહીં મોટાભાગની વસ્તી આદિવાસીઓની છે.

ઇતિહાસ ફેરફાર કરો

સુરગાણા આઝાદી પહેલાં એક રજવાડું હતું.