ઉત્કંઠેશ્વર

ગુજરાત, ભારતમાં આવેલું શિવ મંદિર

ઉત્કંઠેશ્વર કે ઊંટડિયા મહાદેવ વાત્રક નદીને કાંઠે આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે.[૧][૨]

ઉત્કંઠેશ્વર
ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાશિવ
સ્થાન
સ્થાનકપડવંજ તાલુકો, ખેડા જિલ્લો, ગુજરાત
ઉત્કંઠેશ્વર is located in ગુજરાત
ઉત્કંઠેશ્વર
ઉત્કંઠેશ્વરનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°N 73°E / 23°N 73°E / 23; 73
મંદિરો

સ્થાન ફેરફાર કરો

આ મંદિર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મુખ્ય મથક કપડવંજથી અઢાર અને આંતરસુંબા ગામથી આઠેક કિલોમીટર દૂર આવેલું છે.[૨]

મહાદેવના મંદિરની બાજુમાં આવેલ પગથીયા ઉતરતા સીધા વાત્રક નદીના પટમાં પહોચી જવાય છે. અહીં નદીના પટમાં ઊંટ સવારી મોટા પાયે થાય છે, તેથી જ કદાચ આ મહાદેવ મંદિરને ઊંટડિયા મહાદેવ કહેવાય છે. ઉત્કંઠેશ્વર મહાદેવનાં મંદિરે ઘણા બાળકોની મુંડન વિધિ થાય છે. ઉત્કંઠેશ્વર મંદિરની આસપાસ ધર્મશાળાઓ પણ આવેલી છે[૨] અને ત્યાં જરુરીયાત મુજબ જમણ તૈયાર કરી આપનાર માણસોની પણ સુવિધા છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "ઉત્કંઠેશ્વર મહાદેવ". દિવ્ય ભાસ્કર. ૨૦ ઓક્ટોબર ૨૦૧૦. મૂળ માંથી 2019-10-17 પર સંગ્રહિત. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૮.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર". sandesh.com. મેળવેલ 2020-04-09.

બાહ્ય કડીઓ ફેરફાર કરો