ઉત્તરરામચરિતભવભૂતિ (આઠમી સદી) દ્વારા રચવામાં આવેલું સંસ્કૃત નાટક છે. રામના સીતાત્યાગને કેન્દ્રમાં રાખીને રામના ઉત્તરજીવનનું કથાવસ્તુ લઈને રચાયેલ આ નાટક કુલ સાત અંકો ધરાવે છે. આ નાટકમાં રામના રાજ્યાભિષેક પછીના બનાવોને આવરી લેવામાં આવ્યા છે. કલાદ્રષ્ટિએ આ નાટકનો પ્રધાન રસ કરૂણ છે, જ્યારે નાટ્યદ્રષ્ટિએ આ નાટકનો પ્રધાન રસ વિપ્રલંભ શૃંગાર છે.[૧][૨]

કથાવસ્તુ ફેરફાર કરો

નાટકના પહેલા અંકમાં સીતાત્યાગનો પ્રસંગ આવે છે. બાકીના અંકોમાં આ ઘટનાના આઘાત-પ્રત્યાઘાતો કલામય આલેખન કરવામાં આવ્યું છે.[૨]

અનુવાદો ફેરફાર કરો

આ નાટકનો ગુજરાતીમાં અનુવાદ મણિલાલ દ્વિવેદી તથા ઉમાશંકર જોશીએ કર્યો છે.[૩][૪]

સંદર્ભો ફેરફાર કરો

  1. બેટાઈ, રમેશ (October 2004). "ઉત્તરરામચરિત". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૩ (ઈ – ઔ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૨–૭૩. OCLC 165498358.
  2. ૨.૦ ૨.૧ પંડ્યા, વિજય (૧૯૯૬). "ઉત્તરરામચરિત". માં ટોપીવાળા, ચંદ્રકાન્ત; દવે, રમેશ ર. (સંપાદકો). ગુજરાતી સાહિત્યકોશ (સાહિત્યિક પ્રકીર્ણ). ખંડ ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૫૭–૫૮. OCLC 26636333.
  3. Jhaveri, Mansukhlal (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 104. OCLC 639128528.
  4. योगेन्द्र प्रताप सिंह; त्रिभुवन राय (2015). भारतीय भाषाओं में रामकथा (गुजराती भाषा) (હિન્દીમાં). नयी दिल्ली: वाणी प्रकाशन. પૃષ્ઠ ३३. ISBN 978-93-5229-054-3.