ગબ્બર

અંબાજી નજીક આવેલો એક પર્વત અને ધાર્મિક સ્થળ

ગબ્બર અંબાજીથી ૫ કિ.મી. દૂર આરાસુર પર્વતમાળામાં આવેલો પર્વત છે. ગબ્બર પર અંબા માતાનું નાનકડું મંદિર આવેલું છે, જેનું ધાર્મિક મહત્વ હિન્દુ આસ્થાળુઓ માટે ઘણું છે.[૧] ગબ્બર ૯૯૯ પગથિયાંઓ ધરાવે છે અને રોપ-વે વડે પણ તેના પર જઈ શકાય છે. ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી ક્ષેત્રમાં અરવલ્લીની વાયવ્ય દિશાએ આવેલું આ સ્થળ વૈદિક પવિત્ર નદી સરસ્વતી નદીના ઉદ્ગમની બાજુમાં આવેલું છે.

ગબ્બર
ગબ્બર પર્વત અને મંદિર
શિખર માહિતી
ઉંચાઇ1,600 ft (490 m)
ભૂગોળ
સ્થાનઅંબાજી, દાંતા તાલુકો, બનાસકાંઠા જિલ્લો
આરોહણ
સૌથી સહેલો રસ્તોરોપ-વે
સામાન્ય રસ્તોપગથિયાં

આ સ્થળ પ્રાચીન અને પૌરાણિક ૫૧ શક્તિ પીઠોમાંનું એક છે.[૨]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. અંબાજી ટેમ્પલ વેબસાઈટ
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-03-06 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-27.