જોસેફ મેકવાન

ગુજરાતી લેખક

જોસેફ ઇગ્નાસ મેક્વાન ‍(૯ ઓક્ટોબર, ૧૯૩૬ - ૨૮ માર્ચ, ૨૦૧૦) ગુજરાતી ભાષાના નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક તેમજ નિબંધકાર હતા. તેમની નવલકથા આંગળિયાત (૧૯૮૬) માટે તેમને ૧૯૮૯નો સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ૧૯૯૦નો ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તેમના જાણીતા સર્જનોમાં વ્યથાનાં વીતક (૧૯૮૫), આંગળિયાત (૧૯૮૬) અને મારી પરણેતર (૧૯૮૮)નો સમાવેશ થાય છે. ૨૮ માર્ચ ૨૦૧૦ના રોજ નડીઆદ ખાતે કિડની નિષ્ફળ જવાથી તેમનું અવસાન થયું હતું.[૧][૨]

જોસેફ મેક્વાન
જન્મજોસેફ ઇગ્નાસ મેકવાન
(1936-10-09)9 October 1936
તરણોલ, આણંદ, ગુજરાત
મૃત્યુMarch 28, 2010(2010-03-28) (ઉંમર 73)
નડીઆદ, ગુજરાત
વ્યવસાયનવલકથાકાર, ચરિત્રકથાકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., બી.એડ.
લેખન પ્રકારનવલકથા, ચરિત્રકથા
સાહિત્યિક ચળવળભારતમાં દલિત સાહિત્ય
નોંધપાત્ર સર્જનો
નોંધપાત્ર પુરસ્કારો
  • સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૯)
  • ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક (૧૯૯૦)
સક્રિય વર્ષો૧૯૫૬ - ૨૦૧૦
જીવનસાથી
રેજીનાબેન
(લ. 1955; મૃત્યુ સુધી 2010)
સહી

જીવન ફેરફાર કરો

જોસેફ મેકવાનના દાદા ધર્મે હિંદુ હતા પણ ૧૮૯૨માં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. જોસેફ મેકવાનનો જન્મ ૯ ઓક્ટોબર ૧૯૩૬ના રોજ ખેડાના તરણોલ ‍‍(હાલમાં આણંદ તાલુકો) ગામમાં થયો હતો. તેમના કુટુંબનું મૂળ વતન બાજુનું ઓડ ગામ હતું. તેમના પિતા ઇગનાસ (ડાહ્યાલાલ) તરણોલની ખ્રિસ્તી મિશનરી સંસ્થામાં કામ કરતા હતા. તેમનું બાળપણ ગરીબીમાં અને તેમની માતા હીરીબેન (હીરા)નું અવસાન તેઓ નાના હતા ત્યારે જ થવાથી માતા વગર પસાર થયું. તેમના પિતાએ તુરંત અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા, જે જોસેફ સાથે ક્રૂરતાથી વર્તતી હતી.[૩]

૧૯૬૭માં તેઓ પ્રથમ વર્ગમાં બી. એ.; ૧૯૬૯માં દ્વિતિય વર્ગમાં એમ.એ. અને ૧૯૭૧માં પ્રથમ વર્ગમાં બી.એડ. થયા. કોલેજમાં લેક્ચરર તરીકેની કારકિર્દિમાં તેમને કોલેજની નોકરી છોડી દઇ ગામડાની શાળામાં જવા દબાણ કરવામાં આવ્યુ અને અન્ય ઘણી તક્લીફો સહન કરવી પડી.[સંદર્ભ આપો]

લાક્ષણિકતા ફેરફાર કરો

જીવનના અસંખ્ય અનુભવો અને જ્ઞાતિપ્રથા આધારીત સ્વઃનજરે નિહાળેલ અત્યાચારોને તેમણે પોતાના લખાણોમાં વાચા આપી અને અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછુત અને પછાત જ્ઞાતિસમાજની વિતકકથાઓને એક માધ્યમ પુરુ પાડ્યુ છે. ચરોતરી અને દલિત સમાજની જેવી બોલાય છે, તેવી જ બળૂકી અને તળપદી ભાષાનો સચોટ પ્રયોગ, વિપુલ લેખન, સનસનાટીભરી ઘટનાઓ, અને આંચકો આપે તેવા આદર્શવાદી સંતપાત્રોની સાથે સામા છેડાના શેતાન શાં ચરિત્રોની સંમિશ્ર મિલાવટ, તેમની ઘણી રચનાઓ કથારૂપે આત્મકથાનાત્મક છે.

સર્જન ફેરફાર કરો

વ્યથાનાં વીતક ફેરફાર કરો

વ્યથાનાં વીતક (૧૯૮૫)માં શોષણપ્રધાન સમાજનાં દલિતચરિત્રોનાં આલેખનો છે. ‘વહાલનાં વલખાં’ (૧૯૮૭) અને ‘પ્રીત પ્રમાણી પગલે પગલે’ (૧૯૮૭) પણ ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘આંગળિયાત’ (૧૯૮૬) વણકર અને પટેલ કોમના વર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખી સામાજિક દ્વેષ અને સંઘર્ષને દલિત દ્રષ્ટિ-કોણથી ઉપસાવતી જાનપદી નવલકથા છે. વસ્તુપરક રીતિ ને દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. બોલીનું ભાષાકર્મ એમાં ધ્યાન ખેંચે તેવું છે. ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ (૧૯૮૬) નવલકથામાં આત્મકથાત્મક શૈલીમાં શશીકાન્તના લક્ષ્મણવ્રતને વેદના અને સહનશીલતાના સંદર્ભે નિરૂપ્યું છે. ‘મારી પરણેતર’ (૧૯૮૮) એમની અન્ય નવલકથા છે. ‘સાધનાની આરાધના’ (૧૯૮૬) એમનો વાર્તાસંગ્રહ છે. ‘મારી ભિલ્લુ’ (૧૯૮૯) ચરિત્રકથા છે.

આંગળિયાત ફેરફાર કરો

આંગળિયાત (૧૯૮૬) દલિત દ્રષ્ટિકોણનો સબળ ઉન્મેષ દાખવતી જોસેફ મેકવાનની નવલકથા. ખેડા જિલ્લાના ગામડામાં પટેલો અને ઠાકોરોના સમાજથી ઘેરાયેલા વણકરસમાજના જીવનસંઘર્ષની આ કથાનું દસ્તાવેજી મૂલ્ય ઊંચું છે. પ્રાદેશિક ભાષાનું પોત નવલકથાના નિરૂપકથી છેક પાત્રો સુધી એકસરખું વણાયેલું હોવા છતાં સંવેદનશીલ રજૂઆત અને વાસ્તવના રુચિપૂર્ણ સમાયોજનને કારણે નવલકથા પ્રાણવાન બની છે.

નવલકથાઓ ફેરફાર કરો

  • આંગળિયાત
  • લક્ષ્મણની અગ્નીપરીક્ષા
  • મારી પરણેતર
  • મનખાની મિરાત
  • બીજ ત્રીજનાં તેજ
  • આજન્મ અપરાધી
  • દાદાનો દેશ
  • માવતર
  • અમર ચાંદલો
  • દરિયા
  • ભીની માટી કોરાં મન
  • સંગવટો

રેખાચિત્રો ફેરફાર કરો

  • વ્યથાનાં વિતક
  • વ્હાલનાં વલખાં
  • મારી ભિલ્લું
  • જીવતરનાં નટારંગ
  • જનમ જલાં
  • માણસ હોવાની યંત્રણા
  • न ये चांद होगा
  • રામનાં રખોપાં
  • લખ્યા લલાટે લેખ

ટૂંકી વાર્તાઓ ફેરફાર કરો

  • સાધનાની આરાધના
  • પન્નાભાભી
  • આગળો
  • ફરી આંબા મ્હોરે
  • આર્કિડનાં ફૂલ
  • ભવાન ભગત

નિબંધ ફેરફાર કરો

  • વ્યતીતની વાટે
  • પગલાં પ્રભુંનાં
  • સંસ્કારની વાવેતર

સંપાદન ફેરફાર કરો

  • અમર સંવેદન કથાઓ
  • અનામતની આંધી
  • અરવિંદ સૌરભ
  • એક દિવંગત આત્માની જીવન સૌરભ

અહેવાલો ફેરફાર કરો

  • ભાલનાં ભોમ ભીતર
  • ઉઘડ્યો ઉઘાડ અને આવી વરાપ
  • વહેલી પરોઢનું વલોણું

લેખો અને વિવેચન ફેરફાર કરો

  • વાટના વિસામા (લેખ સંગ્રહ)
  • પ્રાગડના દોર (સમીક્ષાત્મક લેખો)

અનુવાદો ફેરફાર કરો

  • આંગળિયાત નો ડૉ. રીટા કોઠારીએ step child નામે અંગ્રેજીમાં કરેલો અનુવાદ, (ઓક્સફર્ડ યુનિ. પ્રેસ દ્વારા પ્રકાશિત પ્રથમ ગુજરાતી નવલકથા)[૪]
  • વ્યથાનાં વિતક નો નેશનલ બૂક ટ્રસ્ટ, નવી દિલ્હી દ્વારા અંગ્રેજી અને 11(અગિયાર) ભારતીય ભાષાઓમાં અનુવાદ
  • ઘંટીના હિન્દી, તેલુગુ, બંગાળી, પંજાબી અને સિન્ધી ભાષાઓમાં અનુવાદો થયા છે.

વિશેષ ફેરફાર કરો

  • લોહીનો સબંધ પરથી ગોપી દેસાઈ દિગ્દર્શિત બસ યારી રખ્ખો નામે બાળ ફિલ્મ.
  • બહેરું આયખુ મુંગી વ્યથા નામે ટેલિ ફિલ્મ.

કટાર ફેરફાર કરો

ભવાટવિ, તીર્થ સલિલ, નદી નદીનાં વહેણ જેવી કટારો જન્મભૂમિ-પ્રવાસી, અખંડાનંદ, નવનીત સમર્પણ, મુંબઇ સમાચાર, ગુજરાત ટાઇમ્સ, જનકલ્યાણ, નયામાર્ગ અને ઉત્સવ.

સમ્માન ફેરફાર કરો

પુરસ્કારો

  • સેંટ ઝેવિયર્સ સુવર્ણચંદ્રક (૧૯૮૧)
  • સંસ્કાર ઍવોર્ડ (૧૯૮૪)
  • અભિવાદન ટ્રોફી ‌(૧૯૮૭)
  • મેઘ રત્ન ઍવોર્ડ (૧૯૮૯)
  • ધનજી કાનજી સુવર્ણચંદ્રક (૧૯૯૦)
  • કનૈયાલાલ મુંશી સુવર્ણચંદ્રક (૧૯૯૫)

ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પારિતોષિકો

  • સાધનાની આરાધના (૧૯૮૫)
  • મારી પરણેતર (૧૯૮૬)
  • જનમ જલાં (૧૯૮૭)
  • મારી ભિલ્લું (૧૯૮૮)
  • પન્નાભાભી (૧૯૯૦)
  • સાહિત્ય અકાદમી, દિલ્હી (૧૯૮૯‌)

સંદર્ભ ફેરફાર કરો

  1. Paul, Fr. Varghese (29 March 2010). Macwan, Vijay (સંપાદક). "WELL KNOWN GUJARATI WRITER JOSEPH MACWAN PASSES AWAY". BBN (લેટિનમાં). Anand. મેળવેલ 25 May 2016.
  2. Topiwala, Chandrakant (1990). "Macwan Joseph Ignas". Gujarati Vishwakosh (Encyclopedia of Gujarati Literature). 2. Ahmedabad: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 493.
  3. Solanki, Vipul (2016). "Chapter 1". A Translation of Joseph Macwan's Vyathana Vitak from Gujarati Into English with a Critical Study (PhD). Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. hdl:10603/130572.
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-09-03 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-03.

બાહ્ય કડીઓ ફેરફાર કરો