આસામ ભારતના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે. તેનું પાટનગર દિસપુર છે.

આસામ સચિવાલય
દિસપુર

Dispur
দিছপুৰ
દિસપુર is located in Assam
દિસપુર
દિસપુર
આસામ માં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 26°08′42″N 91°47′17″E / 26.145°N 91.788°E / 26.145; 91.788Coordinates: 26°08′42″N 91°47′17″E / 26.145°N 91.788°E / 26.145; 91.788
દેશ India
પ્રાંતઆસામ
જિલ્લોકામરુપ
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૯૫૭૩૫૨
ભાષા
 • પ્રચલિતકામરૃપી, આસામી ભાષા
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)

વર્ણન ફેરફાર કરો

દિસપુરને વર્ષ ૧૯૭૩માં રાજ્યની રાજધાનીનો દરજ્જો મળ્યો કારણ કે પહેલા રાજ્યની રાજધાની શિલોંગ હતી પરંતુ મેઘાલયની રચના બાદ શિલોંગ મેઘાલયના ભાગમાં આવી ગયું. દિસપુરની દક્ષિણે સુપ્રસિદ્ધ વશિષ્ઠ મંદિર અને શંકરદેવ કલાક્ષેત્ર આવેલું છે. શંકરદેવ કલાક્ષેત્ર વર્ષ ૧૯૯૦માં અસ્તિત્વમાં આવ્યું કારણ કે આ વિસ્તારમાં કલા કેન્દ્રનો અભાવ છેલ્લા ઘણા સમયથી અનુભવાઈ રહ્યો હતો. દિસપુરના પડોશમાં, એક પ્રાચીન નગર જાટિયા આવેલું છે, જ્યાં રાજ્યનું સચિવાલય આવેલું છે.

જાણીતા સ્થળો ફેરફાર કરો

  • સુલકુચી
  • નવગ્રહ મંદિર
  • આસામ સ્ટેટ મ્યુઝિયમ
  • કામાખ્યા મંદિર
  • ગુવાહાટી પ્લેનેટોરિયમ
  • આસામ સ્ટેટ ઝૂ અને બોટનિકલ ગાર્ડનસ્

દિસપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ, હવાઈ માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ હોવાથી અહીં પહોંચવા માટે વિવિધ પ્રકારની અદ્યતન સેવાઓ મળી રહે છે.