નેતાજી જયંતી

(નેતાજી જયંતિ થી અહીં વાળેલું)

નેતાજી જયંતી, જેને નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી અથવા સત્તાવાર રીતે પરાક્રમ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે,[૧] તે એક અગ્રણી ભારતીય રાષ્ટ્રવાદી નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે ભારતમાં ઉજવવામાં આવતો રાષ્ટ્રીય કાર્યક્રમ છે.[૨][૩] તે દર વર્ષે ૨૩ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.[૪][૫] નેતાજીએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ જાપાન સમર્થિત ભારતીય રાષ્ટ્રીય સેના (આઝાદ હિંદ ફોજ)ના વડા અને આઝાદ હિંદ સરકારના સ્થાપક-વડા હતા.[૬][૭]

નેતાજી જયંતી
અધિકૃત નામપરાક્રમ દિવસ
ઉજવવામાં આવે છેભારત
પ્રકારદેશભક્તિ, રાષ્ટ્રીય, પરંપરાગત
મહત્વભારતીય સ્વતંત્રતા ચળવળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના યોગદાનનું સન્માન
ધાર્મિક ઉજવણીઓઐતિહાસિક ઉજવણીઓ
તારીખ૨૩ જાન્યુઆરી
આવૃત્તિવાર્ષિક

ઉજવણી ફેરફાર કરો

નેતાજીના ગુમ થયાના લગભગ ૫ મહિના બાદ રંગૂનમાં નેતાજી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.[૬] ત્યારથી સમગ્ર ભારતમાં પણ નેતાજીનો જન્મદિવસ પરંપરાગત રીતે મનાવવામાં આવે છે.[૪] આ દિવસે પશ્ચિમ બંગાળ,[૮] ઝારખંડ,[૯] ત્રિપુરા અને આસામમાં સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે. નેતાજીની ૧૨૫મી જન્મજયંતી પર ૨૦૨૧માં પ્રથમ વખત તેમની જયંતી પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવી હતી.

વિવાદ ફેરફાર કરો

ફોરવર્ડ બ્લોક[૧૦] અને સુભાષ ચંદ્ર બોઝના પરિવારના સભ્યોએ ભારત સરકાર પાસે નેતાજી જયંતીને દેશપ્રેમ દિવસ (દેશભક્તિનો દિવસ) તરીકે જાહેર કરવાની માંગ કરી હતી. મમતા બેનરજીએ તેને દેશનાયક દિવસ (રાષ્ટ્રીય નાયક દિવસ) જાહેર કરી રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગ કરી રહી હતી.[૧૧][૧૨] પરંતુ ૧૯ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ, સરકારે જાહેરાત કરી હતી કે નેતાજી જયંતી દર વર્ષે પરાક્રમ દિવસ (શૌર્ય દિવસ) તરીકે ઉજવવામાં આવશે. પોતાના પ્રસ્તાવિત નામોથી ઉજવણી જાહેર ન કરાતાં નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારના સભ્યો, સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોએ ૨૩ જાન્યુઆરીએ રાજ્યનાયક નેતાજીની જન્મજયંતી પરાક્રમ દિવસ તરીકે ઉજવવાના કેન્દ્રના નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપી હતી.[૧૨][૧૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Government announces 23rd January to be celebrated as "PARAKRAM DIWAS' every year | DD News". ddnews.gov.in. મેળવેલ 2021-01-23.
  2. David Gellner (10 September 2009). Ethnic Activism and Civil Society in South Asia. SAGE Publications India. પૃષ્ઠ 37. ISBN 9788132104223.
  3. Buddhadeb Ghosh; Bidyut Mohanty; Nitya Jacob (2011). Local Governance: Search for New Path. Concept Publishing Company. પૃષ્ઠ 190. ISBN 9788180697173.
  4. ૪.૦ ૪.૧ "Netaji Subhas Chandra Bose Jayanti 2020: Famous Quotes by Valiant Leader". News18 (અંગ્રેજીમાં). 23 January 2020. મેળવેલ 31 October 2020.
  5. "Subhas Chandra Bose Birth Anniversary: India will always remain grateful to Subhas Chandra Bose: PM – The Economic Times". m.economictimes.com. મેળવેલ 31 October 2020.
  6. ૬.૦ ૬.૧ Aryya, Manavati (2007). Patriot, the Unique Indian Leader Netaji Subhas Chandra Bose: A New Personalised Biography. Lotus Press. ISBN 9788183821087.
  7. "A biographical sketch of Netaji Subhash Chandra Bose!". www.culturalindia.net (અંગ્રેજીમાં). મેળવેલ 8 November 2020.
  8. "Jan 23 to be observed as Desh Prem Divas". The Indian Express (અંગ્રેજીમાં). મેળવેલ 14 January 2021.
  9. "Netaji Subhas Chandra Bose birth anniversary declared public holiday again in Jharkhand". The Statesman. 23 January 2020. મેળવેલ 5 November 2020.
  10. "Desh Prem Divas – AIFB" (અંગ્રેજીમાં). મૂળ માંથી 16 જાન્યુઆરી 2021 પર સંગ્રહિત. મેળવેલ 14 January 2021.
  11. "Mamata Banerjee: Centre must declare Netaji's birthday as national holiday". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 31 October 2020.
  12. ૧૨.૦ ૧૨.૧ "Bose family, TMC, Left react sharply to 'Parakram Diwas' decision". Hindustan Times (અંગ્રેજીમાં). મેળવેલ 19 January 2021.
  13. "Political row over Centre's decision to celebrate Netaji's birth anniversary as Parakram Diwas". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 20 January 2021.