મુકેશ આચાર્ય (જન્મ: માર્ચ ૧૨, ૧૯૬૦ ) ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ્, ગ્રાફિક્સ ડીઝાઇનર અને વન્ય-જીવન તસ્વિરકાર છે. એમને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.[૧]

મુકેશ અમૃતલાલ આચાર્ય
જન્મની વિગતમાર્ચ ૧૨, ૧૯૬૦
રાજુલા, ગુજરાત
રહેઠાણવસ્ત્રાપુર, અમદાવાદ.
નાગરીકતાભારતીય
વ્યવસાયગ્રાફિક્સ ડીઝાઇનર અને વન્ય-જીવન તસ્વિરકાર
વતનઅમદાવાદ ગુજરાત
જીવનસાથીદક્ષા આચાર્ય
માતા-પિતા- અમૃતલાલ આચાર્ય
વેબસાઇટhttps://www.mukeshacharya.com

જન્મ અને કૌટુંબીક જીવન ફેરફાર કરો

મુકેશ આચાર્યનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજુલા તાલુકાના મુખ્યમથક એવા રાજુલા ગામમાં થયો હતો.

કારકિર્દી ફેરફાર કરો

વ્યાવસાયીક ફેરફાર કરો

  • સેંટર ફોર એન્વાયરમેંટ એજ્યુકેશન (સીઇઇ)ના "ડીઝાઇન સ્ટુડીઓ"માં ૧૯૮૪થી ૨૦૦૦ સુધી કાર્યરત.
  • ફેબ્રુઆરી ૧૦ થી ફેબ્રુઆરી ૧૨, ૧૯૯૩ ઇન્ટરનેશનલ વર્કશોપ ટુવર્ડ્ઝ સાઊથ એંડ સાઊથ-ઇસ્ટ એશીયા નેટવર્ક ફોર એન્વાયરમેંટ એજ્યુકેશન (SASEANEE) અને સેંટર ફોર એન્વાયરમેંટ એજ્યુકેશન(સીઇઇ)નાં સ્ંયુક્ત ઉપક્રમે આઇયુસીએન કમીશનમાં ભાગ લીધો.
  • સેંટર ફોર એન્વાયરમેંટ એજ્યુકેશન(સીઇઇ)ના કાર્યકાળ દર્મ્યાન બર્ડ ફીલ્ડગાઇડની ડીઝાઇન અને ઉત્પાદન કર્યુ.
  • સુરત પ્રાણી સંગ્રહાલય માટે ઇન્ટરપ્રીટેશન સેંટર ૨૦૦૮ના વર્ષ દરમ્યાન બનાવ્યું.

માનદ કાર્યો ફેરફાર કરો

  • વર્ષ ૧૯૯૭થી સાસણ-ગીર અને સિંહ વસ્તિ અંદાજમાં સેવાઓ આપી રહ્યા છે.
  • વર્ષ ૨૦૦૪ દરમ્યાન જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં કાશ્મીર સ્ટેગ હરણનાં વસતી અંદાજમાં સેવાઓ આપી.

જોડાણ ફેરફાર કરો

  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્મિત ગુજરાત રાજ્ય સિંહ સંરક્ષણ સંસ્થાના આજીવન સભ્ય.

સન્માન ફેરફાર કરો

  • ૧૯૭૮ ગુજરાત રાજ્ય લલીતકલા એકેડેમી તરફી ચિત્રકળા માટેનો પ્રથમ પુરસ્કાર.
  • ૧૯૭૯ ગુજરાત રાજ્ય લલીતકલા એકેડેમી તરફી ગ્રાફીક્સ માટેનો પ્રથમ પુરસ્કાર.
  • ૧૯૮૦ લીઓ ક્લબ અમદાવાદ તરફ્થી તસ્વિરકળા માટેનો પ્રથમ પુરસ્કાર.
  • ૧૯૯૭ કુર્ગ વાઇલ્ડલાઇફ સોસાયટી, કર્ણાટક રાજ્ય તરફથી તસ્વિરકળા માટેનો પ્રથમ પુરસ્કાર.
  • ૨૦૦૦ સારસ રીપોર્ટ માટે સાર્ક દેશો વચ્ચે યોજાયેલ સ્પર્ધામાં ગીર ફાઉંડેશન તરફ્થી ભાગ લેવા માટે પ્રથમ પુરસ્કાર.
  • ૨૦૦૩ માં "સેંચુરી મેગેઝીને" એમના કાર્યોની ખાસ નોંધ લઇને સન્માનીત કર્યા.
  • ૨૦૦૪ ગુજરાત રાજ્ય લલીતકલા એકેડેમી તરફથી તસ્વિરકળા માટેનો પ્રથમ પુરસ્કાર.
  • ૨૦૧૧ ગુજરાત રાજ્ય લલીતકલા એકેડેમી તરફથી તસ્વિરકળા માટેનો પુરસ્કાર.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Gujarat Information Bureau (14-02-2012). "લલિતકલા ક્ષેત્રના ર૦૧૦-૧૧ના વર્ષના ગૌરવ પુરસ્કાર જાહેર". News. gujaratindia.com. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૨. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ ફેરફાર કરો