રામદેવપીર

રાજસ્થાનના લોક સંત-દેવતા

રામદેવપીર[૧]નો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે.

શ્રી રામદેવ પીર
રણુજાના રાજા
રામદેરીયાના મંદિરમાં રામદેવ પીર
રણુજાના શાસક
શાસનહિંદુ
જન્મઇસ. ૧૩૫૨
ભાદરવા સુદ બીજ, વિ.સં. ૧૪૦૯
રણુજા (રેણુચા)
મૃત્યુઇસ. ૧૩૮૫
વિ.સં. ૧૪૪૨
રામદેવરા
અંતિમ સંસ્કાર
રામદેવરા
જીવનસાથીનેતાલ દે'
રાજવંશતંવર વંશ
પિતાઅજમલ
માતામિનલ દે'
ધર્મહિંદુ
મજાદર, ગુજરાતમાં આવેલું રામદેવ પીરનું મંદિર

રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.

આ પણ જુવો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Malika Mohammada (૧ જાન્યુઆરી ૨૦૦૭). The foundations of the composite culture in India. Aakar Books. પૃષ્ઠ ૩૪૮. ISBN 978-81-89833-18-3. મેળવેલ ૧૫ એપ્રિલ ૨૦૧૩.