વનરાજ ચાવડા

ચાવડા વંશનો રાજા

વનરાજ ચાવડા ગુજરાતના ચાવડા વંશનો સૌથી વધુ પ્રખ્યાત રાજા હતો, જેણે ઇસ ૭૪૬થી ૭૮૦ દરમિયાન રાજ્ય કર્યું હતું.[૧]

વનરાજ ચાવડા
વનરાજનું ચિત્ર
સિદ્ધપુરમાં રહેલી મૂર્તિ પરથી એલેકઝાન્ડર ફાર્બસની રાસ માળા (૧૮૫૬)માં વનરાજ ચાવડાનું ચિત્ર.
અણહિલવાડનો રાજા
શાસનc. ૭૪૬ – c. ઇ.સ. ૭૮૦
અનુગામીયોગરાજ
વંશચાવડા વંશ
પિતાજયશિખરી
માતારૂપસુંદરી

જીવન ફેરફાર કરો

પ્રારંભિક જીવન ફેરફાર કરો

કૃષ્ણભટ્ટના રત્નમાળા (c. ઇ.સ. ૧૨૩૦) પ્રમાણે ઇ.સ. ૬૯૬ (સંવત ૭૫૨)માં પંચાસરના (હાલમાં પાટણ જિલ્લો, ગુજરાત) ચાવડા વંશના રાજા જયશિખરી પર કાન્યકુબ્જ (કદાચ કનૌજ)માં કલ્યાણકટકના રાજા ભુવડ વડે આક્રમણ કરાયું અને જયશિખરી તેમાં માર્યો ગયો. તેના મૃત્યુ પહેલા જયશિખરીએ તેની ગર્ભવતી રાણીને તેના એક મંત્રી અને રાણીના ભાઇ સુરપાળ સાથે જંગલમાં મોકલી દીધી. જયશિખરીના મૃત્યુ પછી રાણીએ એક પુત્ર વનરાજને જન્મ આપ્યો.[૨][૩]

અણહિલવાડ પર જીત ફેરફાર કરો

તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ [સંદર્ભ આપો] ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.[૪] અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું.

તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં ચાંપાનેર શહેરની પણ સ્થાપના કરી હતી.[સંદર્ભ આપો]

ધર્મ ફેરફાર કરો

 
મંજલ (કચ્છ) નજીક પુરાનોગઢ ખાતેના શિવમંદિરના ભગ્નાવેશો

વનરાજ ચાવડાને જન્મથી જૈન તરીકે દર્શાવવામાં આવ્યા નથી, તેમ છતાં જૈન લેખકો દ્વારા તેમને વિશિષ્ટ રીતે જૈન વિધિઓમાં ભાગ લેતા દર્શાવવામાં આવ્યા છે.[૫]

મંદિર ફેરફાર કરો

મેરુતુંગાનો 'પ્રબંધચિંતમણિ' ગ્રંથ વનરાજ દ્વારા અણહિલવાડ પાટણ ખાતે વનરાજવિહાર તેમજ કાન્તેશ્વરી-પ્રસાદના નિર્માણ વિશે જણાવે છે. વનરાજાએ પંચાસર ગામમાંથી પાર્શ્વનાથની મુખ્ય પ્રતિમા લાવી પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ મંદિર પણ બનાવ્યું હતું.[૬] કાન્તેશ્વરી, પછીના ચાલુક્ય રાજાઓની પણ કુળદેવી હતા. કુમારપાળે બાદમાં આ મંદિરમાં પશુઓના બલિદાન પર પ્રતિબંધ મૂક્યો હતો. હરિભદ્રસૂરી (૧૨મી સદીના મધ્યમાં) મુજબ, મંત્રી નિહયાના પુત્ર લાહરાએ પાટણ જિલ્લાના સંડેર ખાતે વિંધ્યવાસિની (યોગમાયા)નું મંદિર બનાવ્યું હતું. તેમણે નવરંગપુરા નગરની પણ સ્થાપના કરી હતી અને પોતાની માતાની સ્મૃતિમાં પંચાસરા પાર્શ્વનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું.[૭]

આ સમયગાળા (પ્રારંભિક નાગર તબક્કા)ના મંદિરોમાં વિજાપુર તાલુકાના લાકોદ્રા ખાતેના મંદિર, થાનગઢમાં આવેલા પુરાણા સૂર્યમંદિર, વઢવાણના રાણકદેવી મંદિર, કંથકોટના સૂર્યમંદિર તથા કચ્છના મંજલ નજીક પુરાનોગઢના શિવ મંદિરનો સમાવેશ થાય છે. શામળાજી ખાતેનું હરિશ્ચંદ્રની ચોરી, જૂના ભદ્રેશ્વર ખાતે આવેલું પંચાસરા પાર્શ્વનાથ મંદિર (હવે પુનઃનિર્મિત) અને રોડા મંદિર સમૂહનું ત્રીજું મંદિર ૯મી શતાબ્દીના અન્ય કેટલાક હયાત મંદિરો છે.[૭]

નોંધ ફેરફાર કરો

  1. Chintaman Vinayak Vaidya (૧૯૭૯). History of mediaeval Hindu India, Volume 1. Cosmo Publications. પૃષ્ઠ ૩૫૫.
  2. James Macnabb Campbell, સંપાદક (૧૮૯૬). "I. THE CHÁVAḌÁS (A. D. 720–956.)". History of Gujarát. Gazetteer of the Bombay Presidency. Volume I. Part I. The Government Central Press. પૃષ્ઠ ૧૪૯-૧૫૬. |volume= has extra text (મદદ)  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
  3. Cort ૨૦૦૧, p. ૩૫.
  4. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. ૩૪૫.
  5. John E. Cort 1998, p. 87.
  6. Cort 2010, p. 64.
  7. ૭.૦ ૭.૧ Dhaky, Madhusudan A. (1961). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. Bhopal: Madhya Pradesh Itihas Parishad. 3: 3–6, 10–12, 70.

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો

  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૪૫.