અમરનાથ (તીર્થધામ)

હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ

અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઊંડાઈ) ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે.[૧] અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું.

અમરનાથ
અમરનાથ ગુફા મંદિર
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાઅમરનાથ (શિવ)
સ્થાન
સ્થાનપહેલગામ, અનંતનાગ
રાજ્યજમ્મુ અને કાશ્મીર
દેશ ભારત
અમરનાથ (તીર્થધામ) is located in India
અમરનાથ (તીર્થધામ)
જમ્મુ અને કાશ્મીરના નકશામાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ34°12′54″N 75°30′03″E / 34.2149°N 75.5008°E / 34.2149; 75.5008
સ્થાપત્ય
સ્થપતિ(ઓ)પ્રાકૃતિક સંરચના
મંદિરો
વેબસાઈટ
www.shriamarnathjishrine.com

અહીંની પ્રમુખ વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું છે. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ (બર્ફાની બાબા) પણ કહે છે. અષાઢી પૂર્ણિમાથી શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહીનામાં થવા વાળા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે. ગુફાનો પરિઘ લગભગ દોઢ સો ફૂટ છે અને આમાં ઊપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચંદ્રમાના ઘટવા-વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો-વધતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે.

લોકવાયકાઓ ફેરફાર કરો

 
અમરનાથ ગુફામાં બરફથી બનેલું પ્રાકૃતિક શિવલિંગ

એવી લોકવાયકા પ્રચલિત છે કે આ જ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમરકથા સંભળાવી હતી, જેને સાંભળીને સદ્યોજાત શુક-શિશુ, શુકદેવ ઋષિના રૂપમાં અમર થઈ ગયાં હતાં. ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડી દેખાઈ જાય છે, જેને શ્રદ્ધાળુ અમર પક્ષી કહે છે. તે પણ અમરકથા સાંભળી અમર થયા છે. એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓને કબૂતરોની જોડી દેખાય છે, તેમને શિવ પાર્વતી પોતાના પ્રત્યક્ષ દર્શનથી ધન્ય કરી તે પ્રાણીને મુક્તિ પ્રદાન કરે છે. એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની અર્ધાંગિની પાર્વતીને આ ગુફામાં એક એવી કથા સંભળાવી હતી, જેમાં અમરનાથની યાત્રા અને તેના માર્ગમાં આવનારા અનેક સ્થળોનું વર્ણન હતું. આ કથા કાલાંતરમાં અમરકથા નામથી વિખ્યાત થઈ.

અમુક વિદ્વાનોનો મત છે કે ભગવાન શંકર જ્યારે પાર્વતીને અમર કથા સંભળાવવા લઈ જતા હતાં, ત્યારે તેમણે નાના-નાના અનંત નાગોને અનંતનાગમાં છોડ્યાં, માથાના ચંદનને ચંદનવાડીમાં ઉતાર્યું, અન્ય પિસ્સુઓ (જંતુઓ)ને પિસ્સૂ ટૉપ પર અને ગળાના શેષનાગને શેષનાગ નામક સ્થળ પર છોડ્યાં હતાં. આ તમામ સ્થળ હજી પણ અમરનાથ યાત્રામાં આવે છે. અમરનાથ ગુફાની સૌથી પહલી ખબર સોળમી શતાબ્દીના પૂર્વાર્ધમાં એક મુસલમાન ભરવાડને પડી હતી.[સંદર્ભ આપો] આજે પણ ચોથા ભાગનો ચડાવો તે મુસલમાન ભરવાડના વંશજોને મળે છે. આશ્ચર્યની વાત એ છે કે અમરનાથ ગુફા એક નથી. અમરાવતી નદીના રસ્તા પર આગળ વધતા સમયે અન્ય ઘણી નાની-મોટી ગુફાઓ દેખાય છે, તે બધી બરફથી ઢંકાયેલી છે.

અમરનાથ યાત્રા ફેરફાર કરો

અમરનાથ યાત્રાએ જવાના બે રસ્તા છે. એક પહેલગામ થઈ અને બીજો સોનમર્ગ બાલતાલથી. એટલે કે પહેલગામ અને બાલતાલ સુધી કોઈ પણ વાહન દ્વારા પહોંચો, અહીંથી આગળ જવા માટે પોતાના પગોનો જ ઉપયોગ કરવો પડે છે. અશક્ત કે વૃદ્ધો માટે સવારીનો પ્રબંધ કરાય છે. પહેલગામથી જતો રસ્તો સરળ અને સુવિધાજનક ગણાય છે. બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર કેવળ ૧૪ કિલોમીટર છે અને આ બહુ જ દુર્ગમ રસ્તો છે અને સુરક્ષાની દૃષ્ટિ એ પણ સંદિગ્ધ છે. આ માટે સરકાર આ માર્ગને સુરક્ષિત નથી માનતી અને મોટાભાગના યાત્રિકોને પહેલગામના રસ્તે અમરનાથ જવા માટે પ્રેરિત કરે છે. પણ રોમાંચ અને જોખમ લેવાનો શોખ ધરાવતા લોકો આ માર્ગે યાત્રા કરવાનું પસંદ કરે છે. આ માર્ગ દ્વારા જવા વાળા લોકો પોતાના જોખમે યાત્રા કરે છે. રસ્તામાં કોઈ અણધારી ઘટના ઘટે તે માટે ભારત સરકાર જવાબદારી નથી લેતી.

પહેલગામથી અમરનાથ ફેરફાર કરો

પહેલગામ જમ્મુથી ૩૧૫ કિલોમીટર દૂર છે. આ વિખ્યાત પર્યટન સ્થળ પણ છે અને અહીંનું નૈસર્ગિક સૌંદર્ય અપ્રતિમ છે. પહેલગામ સુધી જવા માટે જમ્મૂ-કાશ્મીર પર્યટન કેન્દ્રથી સરકારી બસો ઉપલબ્ધ છે. પહેલગામમાં બિન સરકારી સંસ્થાઓ તરફથી લંગરની (અન્નક્ષેત્રની) વ્યવસ્થા કરાય છે. તીર્થયાત્રિઓની પગપાળા યાત્રા અહીંથી આરંભ થાય છે.

પહેલગામ પછી પહેલો પડાવ ચંદનવાડી છે, જે પહેલગામથી આઠ કિલોમીટર દૂર છે. પહેલી રાત તીર્થયાત્રી અહીં વિતાવે છે. અહીં રાત્રિ નિવાસ માટે કેમ્પ લગાડાય છે. બીજા દિવસે પિસ્સુ ખીણની ચઢાઈ શરૂ થાય છે. કહે છે કે પિસ્સુ ખીણ પર દેવતાઓ અને રાક્ષસો વચ્ચે ઘમાસાણ લડાઈ થઈ, જેમાં રાક્ષસોની હાર થઈ. લિદ્દર નદીને કિનારે-કિનારે જો ચંદનવાડીથી આગળ આ જ નદી પર બરફનો આ પુલ સલામત રહે તો પહેલા ચરણની આ યાત્રા વધુ અઘરી નથી.

ચંદનવાડીથી ૧૪ કિલોમીટર દૂર શેષનાગમાં પછીનો પડાવ છે. આ માર્ગ ઊભી ચઢાઈ વાળો અને ખતરનાક છે. અહીં પિસ્સૂ ખીણના દર્શન થાય છે. અમરનાથ યાત્રામાં પિસ્સૂ ખીણ ઘણું જોખમ ભરેલું સ્થળ છે. પિસ્સૂ ખીણ સમુદ્રતટથી ૧૧,૧૨૦ ફૂટની ઊંચાઈ પર આવેલું છે. યાત્રી શેષનાગ પહોંચી તાજામાજા થાય છે. અહીં પર્વતમાળાઓ વચ્ચે ભૂરા પાણીનું સુંદર તળાવ છે. આ તળાવમાં જોતા એમ ભ્રમ થઈ ઊઠે છે કે ક્યાંક આકાશ તો આ તળાવમાં નથી ઉતરી આવ્યું ને ! આ તળાવ લગભગ દોઢ કિલોમીટર લંબાઈમાં ફેલાયેલું છે. વાયકાઓ અનુસાર શેષનાગ તળાવમાં શેષનાગનો વાસ છે અને ચોવીસ કલાકમાં શેષનાગ એક વખત તળાવમાંથી બહાર આવીને દર્શન આપે છે, પણ આ દર્શન નસીબદારોને જ થાય છે. તીર્થયાત્રી અહીં રાત્રિ વિશ્રામ કરે છે અને અહીંથી ત્રીજા દિવસની યાત્રા શરૂ કરાય છે.

શેષનાગથી પંચતરણી આઠ માઈલના અંતરે છે. માર્ગમાં બૈવવૈલ ટૉપ અને મહાગુણાસ કોતરને પાર કરવું પડે છે, જેની સમુદ્રતટથી ઊંચાઈ ક્રમશ: ૧૩,૫૦૦ ફૂટ તથા ૧૪,૫૦૦ ફૂટ છે. મહાગુણાસ શિખરથી પંચતરણી સુધી આખો રસ્તો ઉતરાણનો છે. અહીં પાંચ નાની-નાની નદીઓ વહેતી હોવાને કારણે જ આ સ્થળનું નામ પંચતરણી પડ્યું છે. આ સ્થાન ચારે તરફથી પહાડોનાં ઊંચા-ઊંચા શિખરોથી ઢંકાયેલું છે. ઊઁચાઈને કારણે ઠંડી પણ વધુ હોય છે. પ્રાણવાયુની ઉણપને કારણે તીર્થયાત્રિઓને અહીં સુરક્ષાના ઉપાયો કરવા પડે છે.

અમરનાથની ગુફા અહીંથી કેવળ આઠ કિલોમીટર દૂર છે અને રસ્તામાં બરફ જ બરફ જામેલ હોય છે. આ દિવસે ગુફાની નજીક પહોંચી, પડાવ નાખી, રાત વિતાવી શકાય છે અને બીજા દિવસે સવારે પૂજા-અર્ચના કરી પંચતરણી પરત ફરી શકાય છે. અમુક યાત્રી સાંજ સુધીમાં શેષનાગ સુધી પાછા પહોંચી જાય છે. આ રાસ્તો ઘણો કપરો છે, પણ અમરનાથની પવિત્ર ગુફામાં પહોંચતા જ યાત્રાનો બધો થાક ઊતરી જાય છે અને અદ્‌ભુત આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે.

બાલતાલથી અમરનાથ ફેરફાર કરો

જમ્મુથી બાલતાલ ૪૦૦ કિલોમીટર દૂર છે. જમ્મૂથી ઉધમપુરને રસ્તે બાલતાલ માટે જમ્મુ કાશ્મીર પર્યટક સ્વાગત કેન્દ્રની બસો સરળતાથી મળી જાય છે. બાલતાલ કેમ્પથી તીર્થયાત્રી એક દિવસમાં અમરનાથ ગુફાની યાત્રા કરી પાછા કેમ્પ પર આવી શકે છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "અમરનાથ યાત્રા : પ્રકૃતિ દર્શન અને અધ્યાત્મનો યોગ" (સીએમએસ). નવભારત ટાઇમ્સ. મેળવેલ ૪ માર્ચ,૨૦૦૯. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ ફેરફાર કરો