સ્વાગત! ફેરફાર કરો

પ્રિય JigarSURA, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૨૧:૩૯, ૪ ઓગસ્ટ ૨૦૧૫ (IST)ઉત્તર

ઈતિહાસમાં સમયાંતરે વિરપુર નગર અલગ અલગ નામોથી અસ્તિત્વ ધરાવતુ હતું હાલમાં ખેડા જિલ્લામાં ઉત્તર પૂર્વ ભાગમાં ખેડા સાબરકાંઠા અને પંચમહાલના ત્રીભેટે આવેલ આ નગર ચારે બાજુ નાની મોટી ટેકરીઓ અને વૈનગંગા અને પેનગંગા નદીઓથી ધેરાએલુ છે. સોલંકી યુગમાં અને તે પહેલાં આ નગર ધવલપુરી નગરી તરીકે પ્રખ્યાત હતું નગરથી આસરે દોઢ કી.મી. દુર ઉત્તર પૂર્વમાં ધવલેશ્વર (ધોળેશ્વર) મહાદેવની સાક્ષી પુરે છે. સોલંકી યુગમાં કંસારા જૈન તથા ઈતર સવર્ણ જ્ઞાતિઓ આ નગરીમાં વધુ હતી. શામળાજીની પ્રાચીન વાવમાં ઉતરતા ડાબી બાજુનો એક શિલાલેખ આ હકીકતની શાક્ષી પુરે છે. સોલંકી કાળ પછી ગુજરાતમાં રાજકીય અસ્થિરતા સર્જાઈ જેના એક ભાગ રૂપે ધવલપુરી નગરી ઉપર પણ આક્રમણો થવા લાગ્યા. નગરીની સુરક્ષા જોખમાતી ગઈ પરીનામે વેપારી જ્ઞાતિઓ ધવલપુરી છોડવા લાગી. નગરીની ભૌગોલીક સીમા તે સમયે દક્ષિણ દિશામાં હાલના વરધરા નજીક હતી. સરકારશ્રીના ચોપડા પર હાલનું સામૈયું ખેતર અને તેનાથી થોડે દુર આવેલ વાવ તેના પુરાવા છે. ઉત્તર પશ્ચિમ સીમા હાલના બારોડા ગામ સુધી હતી. ઉત્તર પૂર્વ સીમા હાલહાલના અચર માતાના ડુંગરની તળેટીમા આવેલ વાવ સુધી અને નગરીની પૂર્વ સીમા હાલની ભાણજીનીવાવ સુધી હતી.