હિમાલયનો પ્રવાસકાકાસાહેબ કાલેલકર લિખિત ૧૯૨૪ માં પ્રકશિત થયેલ એક ગુજરાતી પ્રવાસગ્રંથ છે. આ પુસ્તકને ગુજરાતી ભાષાના ઉત્તમ ગ્રંથોમાંનો એક ગણવામાં આવે છે.[૧]

હિમાલયનો પ્રવાસ
લેખકકાકાસાહેબ કાલેલકર
અનુવાદકઅશોક મેઘાણી
દેશભારત
ભાષાગુજરાતી
વિષયહિમાલયનું પ્રવાસ વર્ણન
પ્રકારપ્રવાસ વર્ણન
પ્રકાશકનવજીવન પ્રકાશન મંદિર
પ્રકાશન તારીખ
૧૯૨૪
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ
૨૦૧૪
માધ્યમ પ્રકારમુદ્રિત

પૃષ્ઠભૂમિ ફેરફાર કરો

પ્રવાસ વર્ણન સાથે આ પુસ્ત્ક લેખકની આંતરયાત્રાનું પણ પ્રતિબિંબ છે. આ પ્રવાસ બે સંતાનોના પિતા એવા કાકાસાહેબના સંસાર ત્યાગ કરવાના સંકલ્પને અમલી બનાવવાના ઉપક્રમ સ્વરૂપે હતો.[૧] કાકા સાહેબે ઈ.સ. ૧૯૧૨ માં અનંતબુવા મરઢેકર અને સ્વામી આનંદની સાથે હિમાલયનો પગપાળા પ્રવાસ કર્યો હતો. દરરોજ વીસ-ત્રીસ માઈલની પદયાત્રા કરીને તેઓએ કુલ પચ્ચીસો માઈલનો આ પ્રવાસ ચાળીસ દિવસમાં પૂર્ણ કર્યો. તેના સાત વર્ષ બાદ કાકાસાહેબે ઈ.સ. ૧૯૧૯માં પ્રવાસ-વર્ણન લેખમાળા સ્વરૂપે લખવાનો આરંભ કર્યો. શરૂઆતમાં આશ્રમના સાથીઓ અને વિદ્યાર્થીઓ સારુ સાબરમતી આશ્રમના હસ્તલિખિત માસિક માટે આ લેખમાળા લખાઈ હતી. ૧૯૨૪માં આ પુસ્તક નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પુસ્તક પ્રકાશિત થયું. કાકા કાલેલકરે આ પુસ્તક યાત્રામાં તેમના સાથી બ્રહ્મચારી અનંતબુવા મરઢેકરને અર્પણ કર્યું છે.[૨]

આ પુસ્તક ગુજરાતીમાં પ્રચલિત થયેલા અમુખ નોંધપાત્ર અવતરણો ધરાવે છે જેમ કે: “પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ.” (પૃ. ૧૨); “મંદિરની મૂર્તિનાં દર્શન કરતાં શિખરનાં દર્શનનો ઉમળકો વિશેષ હોય છે.” (પૃ. ૧૬૧).[૨]

વિષય વસ્તુ ફેરફાર કરો

બધું મળીને પુસ્તકમાં ૪૫ પ્રકરણો છે. પ્રથમ પ્રકરણમાં હરિદ્વારથી શરૂ થતી આ યાત્રા આગળ વધે છે. હિમાલય પર્વતનું વર્ણન "નગાધિરાજ" નામના પ્રકરણમાં આવે છે.[૧]

આ પુસ્તકમાં ત્રિસ્થળી યાત્રાનાં તીર્થો પ્રયાગરાજ, વારાણસી, ગયા અને ચાર ધામ યાત્રાનાં તીર્થો બદરીધામ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી, અયોધ્યા અને બોધિ ગયા, બેલુડ મઠ અને રામકૃષ્ણ સેવાશ્રમ અં ગંગાદ્વાર અને ઋષિકેશ, દેવપ્રયાગ અને ઉત્તરકાશી, અલમોડા અને ભીમતાલ, તેહરી અને પદમબોરી, રાણાગામ અને ભોટચટ્ટી જેવાં પ્રાકૃતિક-સાંસ્કૃતિક-ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો અંગે પણ જુદાં પ્રકરણો લખ્યાં છે.[૨]

આ પુસ્તકમાં પર્યટન સ્થળો, પ્રકૃતિ-સૌંદર્યો, મઠો, મંદિરો, પાઠશાળાઓ, ધર્મશાળાઓ, વૃક્ષો, વાદળો, પુષ્પો, પહાડો, ઝરણાં, તારલા, સરોવર, આકાશ, પથ્થર, બરફ વિષે રોચક વાતો લખી છે. પ્રવાસ દરમિયાન તેમણે સાધુઓ-સંન્યાસીઓ, ઋષિ મુનિઓ-નાગા બાવાઓ, વેપારીઓ-પ્રવાસીઓ, ખેડૂતો-મજૂરો સાથે વાર્તાલાપ કર્યા છે. ખાખીબાવા, સોમબારગિરી બાવા જેવા સિદ્ધયોગીઓથી માંડીને બાદરુ અને કૈરાસિંગ જેવા સામાનધારકો વિશે આ પુસ્તકમાં ઉલ્લેખ છે. સ્થળનો મહિમા દર્શાવતી પુરાણ કથાઓ, શબ્દવ્યુત્પત્તિ તેમજ સ્થાનિક રીત-રિવાજ પણ તેમણે આમાં લખી છે. સમગ્ર પુસ્તક ગુજરાતી શબ્દભંડોળ, મરાઠી પંક્તિઓ, સંસ્કૃત શ્લોકો, અંગેજી કવિતાઓથી ભરેલું છે.[૨]

અનુવાદ ફેરફાર કરો

આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ અશોક મેઘાણીએ 'ધી હિમાલય: અ કલ્ચરલ પિલગ્રિમેજ' (૨૦૦૪) શિર્ષક હેઠળ કર્યો છે.[૩] આ પુસ્તકનો હિન્દી અનુવાદ દાદા ધર્માધિકારીએ 'હિમાલય કી યાત્રા' (૧૯૪૮) શિર્ષક હેઠળ કર્યો હતો.[૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ઠક્કર, ધીરુભાઈ (2009). ગુજરાતી વિશ્વકોશ. ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 339–340.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "હિમાલયનો પ્રવાસ - Book Summary". Gujaratilexicon (અંગ્રેજીમાં). મેળવેલ 2021-01-24.
  3. "હિમાલયનો પ્રવાસ – કાકાસાહેબનો અને અશોક મેઘાણીનો". opinionmagazine.co.uk. 8 September 2014. મૂળ માંથી 28 નવેમ્બર 2021 પર સંગ્રહિત. મેળવેલ 22 February 2021.
  4. Kālelakara, D. B. (1948). "Himālayakī yātrā". Ahmadābāda: Navajīvana Prakāśana Mandira.

બાહ્ય કડીઓ ફેરફાર કરો