આણંદપુર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

આણંદપુર ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. આ ગામ જુનાગઢ શહેરથી લગભગ ૧૦ કિ.મી. દુર આવેલું છે. અહી જુનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો "આણંદપુર ડેમ" (જળબંધ) આવેલ છે. હાલમાં આ ડેમને નર્મદા નહેર સાથે જોડી દેવાયો છે જેથી જરૂરતનાં સમયે નર્મદાનાં પાણીથી આ ડેમ ભરી શકાય. અહીંથી પંપિંગ દ્વારા પાણી જુનાગઢ ઉપરકોટમાં આવેલ સાત તળાવમાં જાય છે અને ત્યાંથી "ફિલ્ટર પ્લાન્ટ" મારફત શુદ્ધ થઇ અને ગુરુત્વાકર્ષણ બળથી શહેરમાં પહોંચે છે.

આણંદપુર
—  ગામ  —
આણંદપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°24′06″N 70°30′55″E / 21.401674°N 70.515296°E / 21.401674; 70.515296
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
તાલુકો જૂનાગઢ
વસ્તી ૧,૫૦૫[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૧.૦૯૬૧૦૦૨૭૮૫૫૧૫ /
સાક્ષરતા

• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા

૭૬.૮૭% 

• ૮૨.૨૧%
• ૭૧.૦૩%

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૨ ૨૬૩
    • ફોન કોડ • +૦૨૮૫
    વાહન • GJ-11

વસતી ફેરફાર કરો

વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે ગામમાં ૨૯૯ કુટુંબો મળી કુલ વસતી ૧૫૦૫ની છે. જેમાં ૭૮૭ પુરુષો અને ૭૧૮ સ્ત્રીઓ છે. જેમાં ૦-૬ વર્ષ વયજુથનાં બાળકોની સંખ્યા ૧૨૩ છે. અહીં ૬૪૭ પુરુષો અને ૫૧૦ સ્ત્રીઓ મળી કુલ ૧૧૫૭ લોકો ભણેલાં છે, આમ સાક્ષરતા દર ૭૬.૮૭ % છે.[૨]

સંદર્ભો ફેરફાર કરો

જુનાગઢ ગ્રામ્ય તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન