ઉષા ઉપાધ્યાય

ગુજરાતી લેખક

ઉષાબેન ઘનશ્યામભાઈ ઉપાધ્યાય ગુજરાતી સાહિત્યકાર છે.

ઉષા ઉપાધ્યાય
ઉષા ઉપાધ્યાય, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, જાન્યુઆરી ૨૦૧૫
ઉષા ઉપાધ્યાય, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, જાન્યુઆરી ૨૦૧૫
જન્મઉષા ઘનશ્યામ ઉપાધ્યાય
(1956-06-07) 7 June 1956 (ઉંમર 67)
ભાવનગર, ગુજરાત, ભારત
વ્યવસાયલેખક, કવિયત્રી અને પ્રાધ્યાપક
ભાષાગુજરાતી
શિક્ષણએમ.એ., પીએચ.ડી.

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ગુજરાતના ભાવનગર શહેરમાં ૭ જૂન ૧૯૫૬ના દિવસે થયો હતો.[૧][૨] તેઓએ ગુજરાતી વિષયમાં અનુસ્નાતક (એમ.એ.) સુધીનો અભ્યાસ કર્યો અને પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપિકા રહ્યા હતા અને અમદાવાદ ખાતે મ.દે. મહાવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી લેખક મંડળના ઉપપ્રમુખ છે.[૧][૩][૨]

સાહિત્ય સર્જન ફેરફાર કરો

ગુજરાતી ભાષામાં નાટકો, નિબંધો, કવિતાઓ અને વાર્તાઓ તેમણે આપી છે.[૧]

કૃતિનું નામ સાહિત્ય પ્રકાર પ્રકાશન વર્ષ
મસ્તીખોર મનિયો એકાંકી ૨૦૦૪
વાદળી સરોવર કવિતાસંગ્રહ ૧૯૯૯
જળ બિલ્લોરી કવિતાસંગ્રહ ૧૯૯૮
અરુંધતીનો તારો કવિતાસંગ્રહ ૨૦૦૬
ઈક્ષિત વિવેચન ૧૯૯૦
સાહિત્ય સંનિધિ વિવેચન ૧૯૯૮
આલોકપર્વે વિવેચન ૨૦૦૫
અધીત, ૧૫ થી ૧૮ સંપાદન ૧૯૯૨ થી ૧૯૯૫
ગુજરાતી ચયન સંપાદન ૧૯૯૯, ૨૦૦૦
સર્જન પ્રક્રિયા અને નારીચેતના સંપાદન ૨૦૦૬
ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ (નારી સપ્તકશ્રેણી) નિબંધો ૨૦૦૬
ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સંવાદ નિબંધો ૨૦૦૬
શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ ૨૦૦૭
રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા ૨૦૦૭
અમેરિકા નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા

પુરસ્કાર ફેરફાર કરો

તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી બટુભાઇ ઉમરવાડિયા પારિતોષિક તેમજ ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન, લખનૌ તરફથી ભગિની નિવેદિતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 147–148. ISBN 978-93-5108-247-7.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Matari, Jalan (July 2014). "ગઝલ કોકિલા ઉષા ઉપાધ્યાય". કુમાર. કુમાર ટ્રસ્ટ. 90 (1039): 52 – Internet Archives વડે.
  3. "ઉષા ઉપાધ્યાય". gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 2018-04-11.

બાહ્ય કડીઓ ફેરફાર કરો